Plasma Therapy For Covid-19: જાણો કેમ બંધ કરવામાં આવી કોરોના દર્દીઓ માટેની પ્લાઝમા થેરેપી

કોવિડ -19 ની સારવાર અંગેઆઈસીએમઆરની માર્ગદર્શિકાએ જણાવ્યું હતું કે લક્ષણોના 7 દિવસની અંદર પ્લાઝમા થેરેપીનો ઉપયોગ થઈ શકે છે. જો કે આ ઉપચાર સાથે સારવાર પર કોઈ અસર થયા હોવાના પુરાવા મળ્યા નથી. તેની બાદ હવે Plasma થેરેપીને આઈસીએમઆરએ કોરોનાના ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાંથી બાકાત રાખવાનો નિર્ણય કર્યો છે.

Plasma Therapy For Covid-19:  જાણો કેમ બંધ કરવામાં આવી કોરોના દર્દીઓ માટેની પ્લાઝમા થેરેપી
કોરોના દર્દીઓ માટેની પ્લાઝમા થેરેપી બંધ કરવામાં આવી
Follow Us:
| Updated on: May 18, 2021 | 4:37 PM

દેશમાં કોવિડ -19 ની બીજા લહેરમાં Plasma ની માંગમાં નોંધપાત્ર વધારો થયો. સોશિયલ મીડિયા પર ઘણા લોકો કોરોના વાયરસ મટાડવામાં માટે પ્લાઝમા દાન કરવાની જાહેરાત કરતાં નજરે પડ્યા હતા. કોવિડ -19 ની સારવાર અંગેઆઈસીએમઆરની માર્ગદર્શિકાએ જણાવ્યું હતું કે લક્ષણોના 7 દિવસની અંદર પ્લાઝમા થેરેપીનો ઉપયોગ થઈ શકે છે. જો કે આ ઉપચાર સાથે સારવાર પર કોઈ અસર થયા હોવાના પુરાવા મળ્યા નથી. તેની બાદ હવે Plasma થેરેપીને આઈસીએમઆરએ કોરોનાના ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાંથી બાકાત રાખવાનો નિર્ણય કર્યો છે.

આઈસીએમઆર અને કોવિડ -19 પર રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની બેઠક ગત સપ્તાહે મળી હતી.જેમાં તમામ સભ્યોએ જણાવ્યું હતું કે પ્લાઝમાઉપચાર બિનઅસરકારક છે અને તેને માર્ગદર્શિકામાંથી દૂર કરવો જોઇએ. જણાવ્યું હતું. આ ઉપરાંત કેટલાક વૈજ્ઞાનિકો અને ડોકટરોએ સરકારના પ્રિન્સિપાલ વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવનને પત્ર પણ લખ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે પ્લાઝમા થેરાપીનો ‘અતાર્કિક અને અવૈજ્ઞાનિક ઉપયોગ બંધ કરવો જોઈએ. આ પત્ર આઈસીએમઆરના વડા બલરામ ભાર્ગવ અને એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાને પણ મોકલ્યો હતો.

આ પત્રમાં કહ્યું છે કે Plasma થેરેપીથી સંબંધિત માર્ગદર્શિકા ઉપલબ્ધ પુરાવાના આધારે નથી. કેટલાક પ્રારંભિક પુરાવા પણ બહાર આવ્યા છે જે મુજબ, જ્યારે પ્લાઝમા થેરાપી ખૂબ ઓછી પ્રતિરક્ષાવાળા લોકોને આપવામાં આવે છે, ત્યારે એન્ટિબોડીઝને તટસ્થ કરવામાં આવે છે. પત્ર મોકલનારાઓમાં પ્રખ્યાત વાઇરોલોજિસ્ટ ગગનદીપ કંગ, સર્જન પ્રમેશ સી.એસ. અને અન્ય હતા. પત્ર અનુસાર, પ્લાઝમા થેરેપીનો અતાર્કિક ઉપયોગ ચેપને વધારી શકે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

એક રિસર્ચ મુજબ યુકેમાં 11,000 લોકો પર કરાયેલા સંશોધનથી જાણવા મળ્યું છે કે Plasma થેરેપી ચમત્કાર કામ કરતું નથી. આ જ વાત આર્જેન્ટિનામાં કરવામાં આવેલા સંશોધનમાં સામે આવી છે. ત્યાંના ડોકટરો પણ પ્લાઝમા ઉપચારને અસરકારક માનતા ન હતા. ગયા વર્ષે, આઈસીએમઆરએ એક સંશોધન પણ હાથ ધર્યું હતું જેમાં જાણવા મળ્યું હતું કે કોવિડના ગંભીર દર્દીઓની સારવારમાં મૃત્યુ દર ઘટાડવામાં અને સારવાર કરવામાં પ્લાઝમા ઉપચાર અસરકારક નથી.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">