21 વર્ષે મેયર? જાણો Arya Rajendra ,જે બનશે તિરુવનંતપૂરમની યુવા મેયર, વાંચો ખાસ ઉપલબ્ધીઓ
કેરળની રાજધાની તિરુઅનંતપૂરની મેયર બનવા જઇ રહી છે 21 વર્ષની Arya Rajendra તેની સાથે જ તે દેશની સૌથી યુવા મેયર બનશે. આર્યા રાજેન્દ્ર હાલમાં જ પૂર્ણ થયેલી નગર નિગમની ચુંટણીમાં મુંડાવંમુગલ વોર્ડથી કાઉન્સિલર ચૂંટાયા છે. જાણો કોણ છે આર્યા રાજેન્દ્ર આર્યા રાજેન્દ્ર પિતા વ્યવસાયથી ઇલેક્ટ્રિશિયન છે જ્યારે તેમની માતા શ્રી લતા એલઆઇસી એજન્ટ છે. આર્યા […]
કેરળની રાજધાની તિરુઅનંતપૂરની મેયર બનવા જઇ રહી છે 21 વર્ષની Arya Rajendra તેની સાથે જ તે દેશની સૌથી યુવા મેયર બનશે. આર્યા રાજેન્દ્ર હાલમાં જ પૂર્ણ થયેલી નગર નિગમની ચુંટણીમાં મુંડાવંમુગલ વોર્ડથી કાઉન્સિલર ચૂંટાયા છે.
જાણો કોણ છે આર્યા રાજેન્દ્ર
આર્યા રાજેન્દ્ર પિતા વ્યવસાયથી ઇલેક્ટ્રિશિયન છે જ્યારે તેમની માતા શ્રી લતા એલઆઇસી એજન્ટ છે. આર્યા રાજેન્દ્ર હાલ તિરુઅનંતપૂરની ઓલ સેન્ટસ કોલેજમાં બી.એસ,સી મેથ્સ સેકન્ડ યરની વિધાર્થીની છે. એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી અને એક માળના મકાનમાં રહે છે.
આર્યા તિરુવનંતપુરમમાં ઓલ સેન્ટસ કોલેજમાં બીએસસી ગણિતના બીજા વર્ષની વિધાર્થીની છે. તે નગર પરિષદમા ચોક્કસ નાની છે. પરંતુ રાજનીતિ તેમના માટે નવી નથી. તે છ વર્ષની ઉંમરમાં પાર્ટી સાથે જોડાયેલા બાળકોના સંગઠન ‘ બાલા સંગમની સભ્ય બની હતી અને તે હાલ તેની પ્રદેશ અધ્યક્ષ છે. આની સાથે જ તે સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા પાર્ટીની યુવા શાખાની પદાધિકારી પણ છે.
રાજકીય કેરિયર વિશે જાણો
આર્યા રાજેન્દ્રએ પોતાના વોર્ડના યુડીએફના ઉમેદવાર શ્રીકલાને 2872 વોટથી પરાજિત કર્યા હતા. અને તે જિલ્લાની સૌથી ઉમેદવાર હતા. આ ઉપરાંત તે સીપીએમના બાળકોના સંગઠન બાલસંધમ રાજયની અધ્યક્ષ છે. તેની સાથે તે સીપીએમ ના વિધાર્થી સંગઠન સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સ્ટેટ યુનિટમાં પદાધિકારીની જવાબદારી સંભાળી રહી છે.
આર્યા રાજેન્દ્રએ પોતાના વોર્ડના યુડીએફના ઉમેદવાર શ્રીકલાને 2872 વોટથી પરાજિત કર્યા હતા. અને તે જિલ્લાની સૌથી નાની ઉમેદવાર હતી. આ ઉપરાંત તે સીપીએમના બાળકોના સંગઠન બાલસંધમ રાજયની અધ્યક્ષ છે. તેની સાથે તે સીપીએમ ના વિધાર્થી સંગઠન સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સ્ટેટ યુનિટમાં પદાધિકારીની જવાબદારી સંભાળી રહી છે. તેમજ તે પાર્ટી બ્રાન્ચની કમિટી સભ્ય પણ છે. આર્યાએ ભરોસો વ્યક્ત કર્યો છે તેમનું ભણતર અને રાજકીય સફર સાથે સાથે ચાલશે
આર્યા સીપીએમની સભ્ય છે . મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમનો ચહેરા તિરુવનંતપૂરમ માં ફ્રન્ટ પર રાખીને લેફ્ટ ડેમોક્રેટિકની સરકાર આગામી વિધાનસભા ચુંટણી માટે કવાયત કરી રહ્યા છે.
આર્યાને મેયર બનાવવા પાછળ પાટીની નજર આગામી સમયે કેરળ વિધાનસભા ચુંટણી પર છે. જેના માધ્યમથી તે પોતાના યુવા વૉટરોને આકર્ષવા માંગે છે. કારણ કે તિરુવનંતપૂરમ માં તેમણે ભાજપ સામે મુકાબલો કરવાનો છે. આર્યાને મેયર બનવાનો અવસર એટલે મળ્યો એ કારણ કે સીપીએમના હાલના મેયર અને મેયર પદના ઉમેદવાર ચુંટણી હારી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં મ્યુનિસિપાલટીની ચુંટણી લડવા માટે કોઇપણ ઉમેદવારની ઉંમર 21 વર્ષ હોવી જરૂરી છે.