જાણો કોણ છે જસ્ટિસ એસ.એ.બોબડે જે બનશે આગામી CJI, આ મહત્વના નિર્ણયો આપી ચૂક્યા છે
સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે બનશે. રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. હાલના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આગામી 17 નવેમ્બરે નિવૃત થઈ રહ્યા છે. ત્યારે તેમને કેન્દ્ર સરકારને આગામી ચીફ જસ્ટિસ બનાવવા માટે જસ્ટિસ એસ.એ.બોબડેના નામની ભલામણ કરી હતી. જસ્ટિસ બોબડે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલાની સુનાવણી કરી રહેલી ખંડપીઠનો એક ભાગ છે. તે સિવાય પણ ઘણા […]
સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે બનશે. રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. હાલના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આગામી 17 નવેમ્બરે નિવૃત થઈ રહ્યા છે. ત્યારે તેમને કેન્દ્ર સરકારને આગામી ચીફ જસ્ટિસ બનાવવા માટે જસ્ટિસ એસ.એ.બોબડેના નામની ભલામણ કરી હતી.
જસ્ટિસ બોબડે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલાની સુનાવણી કરી રહેલી ખંડપીઠનો એક ભાગ છે. તે સિવાય પણ ઘણા મોટા નિર્ણયોમાં તે સામેલ રહ્યા છે. જસ્ટિસ અરવિંદ શરદ બોબડે (એસ.એ.બોબડે)નો જન્મ 24 એપ્રિલ 1956ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો. તેમને નાગપુર વિશ્વવિદ્યાલયમાંથી BA અને LLBની ડિગ્રી લીધી છે.
1978માં જસ્ટિસ બોબડેએ બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્રને જોઈન કર્યુ હતું. ત્યારબાદ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં લૉની પ્રેક્ટિસ કરી, 1998માં વરિષ્ઠ વકીલ બન્યા. વર્ષ 2000માં તેમને બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જ્જનો કાર્યભાર સંભાળ્યો. ત્યારબાદ તે મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
2013માં જસ્ટિસ એસ.એ.બોબડેએ સુપ્રીમ કોર્ટમાં જ્જ તરીકે કમાન સંભાળી અને 18 નવેમ્બર 2019ના રોજ CJIના શપથ ગ્રહણ કરશે. જસ્ટિસ બોબડે 23 એપ્રિલ 2021ના રોજ નિવૃત થશે.
જસ્ટિસ બોબડે કયા મોટા નિર્ણયોમાં સામેલ રહ્યા?
1. સુપ્રીમ કોર્ટ દ્વારા આધારકાર્ડને લઈ આપેલા આદેશમાં જસ્ટિસ એસ.એ.બોબડે પણ સામેલ હતા. સુપ્રીમ કોર્ટે તેમની એક ટિપ્પણીમાં કહ્યું હતું કે આધારકાર્ડ વગર કોઈ પણ ભારતીય મૂળ સુવિધાઓથી વંચિત ના રહી શકે. આ ખંડપીઠમાં જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ ચેલમેશ્વર અને જસ્ટિસ નાગપ્પન સામેલ હતા.
2. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની વિરૂદ્ધ જે યૌન શોષણનો મામલો સામે આવ્યો હતો, તેની તપાસ સુપ્રીમ કોર્ટના 3 જ્જ કરી રહ્યા હતા. તે ખંડપીઠમાં જસ્ટિસ એસ.એ.બોબડે, એન.વી.રમન અને ઈન્દિરા બનર્જી સામેલ હતા.
3. નવેમ્બર 2016માં 3 બાળકો દ્વારા કરેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ નિર્ણયમાં જસ્ટિસ એસ.એ.બોબડે પણ સામેલ હતા. આ ખંડપીઠમાં તત્કાલીન ચીફ જસ્ટિસ ટી.એસ.ઠાકુર, જસ્ટિસ અકે સીકરી અને જસ્ટિસ બોબડે પણ સામેલ હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
4. છેલ્લા 40 દિવસથી અયોધ્યા કેસ મામલેની સુનાવણી કરી રહેલી 5 જ્જની ખંડપીઠમાં જસ્ટિસ બોબડે પણ સામેલ હતા. આ 5 જ્જની બેન્ચમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ નજીર સામેલ હતા. આ મામલાની સુનાવણી પૂરી થઈ ચૂકી છે અને નિર્ણય આવવાનો બાકી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]