Kinnaur landslide update: ITBPના જવાનોને હાથ લાગ્યો બસનો કાટમાળ, વધુ ત્રણ મૃતદેહ મળતા આંકડો 13 પર પહોચ્યો
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કિન્નોરમાં ભૂસ્ખન (Landslide)ના કારણે હાહાકારની સ્થિતિ બની હતી.
Kinnaur landslide update: હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનને કારણે 14 લોકોને સુરક્ષિત બહાર કાવામાં આવ્યા છે. બચાવ કાર્યમાં લાગેલા ITBP નું કહેવું છે કે તેઓએ ભૂસ્ખલનનાં કાટમાળમાંથી અત્યાર સુધીમાં 10 મૃતદેહો બહાર કાઢ્યા હતા અને આજે વહેલી સવારે વધુ ત્રણ મૃતદેહ મળી આવતા આંક 13 એ પહોચ્યો છે.
આપને જણાવી દઈએ કે ITBP ના 17, 18 અને 43 બટાલિયનના સૈનિકોને રસ્તાના અંદાજે 500 મીટર નીચે અને સતલજ નદીથી 200 મીટર ઉપર બસનો ભંગાર મળી આવ્યો હતો. ITBPના પ્રવકતાએ અગાઉ પોતાના અનિવેદનમાં કહ્યું કે 25 થી 27 લોકો બસમાં ફસાયા હોવાની આશંકા છે.
The wreckage of the Bus found early morning today.#kinnaurlandslide pic.twitter.com/b0y5CS8pHy
— ITBP (@ITBP_official) August 12, 2021
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કિન્નોરમાં ભૂસ્ખન (Landslide)ના કારણે હાહાકારની સ્થિતિ બની હતી. આ ભૂસ્ખલનમાં 13 લોકોના મોત થયા છે અને 14 લોકોને બચાવવામાં આવ્યા છે. ત્યારે 25 થી વધુ લોકો હજુ પણ ફસાયેલા હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ જ્યારે એક બસ અને 6 જેટલા વાહનો પહાડના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ પહાડો પરથી પથ્થરો આ વાહનો પર પડ્યા અને પથ્થર નીચે દટાઈ જતા 13 જેટલા લોકોના મોત થયા છે.
આ પણ વાંચો: GUJARAT : 11 ઓગષ્ટે રાજ્યમાં 3.24 લાખ લોકોને વેક્સિન અપાઈ, કુલ રસીકરણ 3.79 કરોડ થયું