ભાજપનો આરોપ, કેજરીવાલે પાવર કંપનીઓનું ઓડિટ કરવાના કેબિનેટના નિર્ણયની કરી અવગણના

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુરુવારે આમ આદમી પાર્ટી (AAP)ની આગેવાની હેઠળની દિલ્હી સરકાર પર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓનું ઓડિટ કરવા અને તેમને અનુચિત લાભ આપવાના તેના પોતાના કેબિનેટના નિર્ણયની અવગણના કરવાનો આરોપ લગાવ્યો.

ભાજપનો આરોપ, કેજરીવાલે પાવર કંપનીઓનું ઓડિટ કરવાના કેબિનેટના નિર્ણયની કરી અવગણના
ફાઈલ ફોટો અરવિંદ કેજરીવાલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 8:54 PM

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુરુવારે આમ આદમી પાર્ટી (AAP)ની આગેવાની હેઠળની દિલ્હી સરકાર પર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓનું ઓડિટ કરવા અને તેમને અનુચિત લાભ આપવાના તેના પોતાના કેબિનેટના નિર્ણયની અવગણના કરવાનો આરોપ લગાવ્યો. એક પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના પ્રવક્તા સૈયદ ઝફર ઈસ્લામે કહ્યું કે, 2016માં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની કેબિનેટની બેઠકમાં દર વર્ષે પાવર કંપનીઓનું ઓડિટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ એવું ક્યારેય થયું ન હતું.

તેમણે કહ્યું કે, “કેજરીવાલે પોતાના કેબિનેટના નિર્ણયની અવગણના કરી,”

ઝફરે એવો પણ આક્ષેપ કર્યો હતો કે દિલ્હી સરકારે બે પાવર કંપનીઓના બોર્ડમાં AAP નેતાઓની નિમણૂક કરી હતી અને આ કંપનીઓ પર હજુ પણ રૂ. 21,000 કરોડ બાકી હોવા છતાં અયોગ્ય લાભો આપ્યા હતા. ભાજપના આ આરોપો પર AAP તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ તાજેતરમાં AAP સરકારની પાવર સબસિડી યોજનામાં કથિત ગેરરીતિઓની તપાસનો આદેશ આપ્યો છે.

અરવિંદ કેજરીવાલ 8 અને 9 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે

ગુજરાતમાં  વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ  વિવિધ રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ વારંવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે  ત્યારે આમ આદમી પાર્ટીના  રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ  8 ઓક્ટોબર તેમજ 9 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે આવશે.  આ બે દિવસ દરમિયાન અરવિંદ કેજરીવાલ ઘણી જનસભાને  સંબોધિત કરશે. તાજેતરમાં જ આપના  (AAP ) સંયોજક તથા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  (Arvind kejriwal) તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન  (Bhagwant Maan)  2 ઓકટોબરના રોજ ગુજરાતની  મુલાકાતે આવ્યા હતા  તે સમયે તેમણે પાંજરાપોળ અને ગૌશાળા માટે સહાયની જાહેરાત કરી હતી તેમજ તેઓ તેઓ રાજકોટમાં વિવિધ કાર્યક્રમમાં સામેલ થયા હતા અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન એક કાર્યક્રમમાં સ્ટેજ પર ગરબે પણ ઘૂમ્યા હતા.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">