આતંકીઓનાં કિલ્લા શોપિયાંમાં સેનાનો સપાટો, અત્યાર સુધીમાં 40 આતંકીઓ ઠાર, ચાર જ દિવસમાં હિઝબુલનાં બે કમાન્ડર સહિત 14નો સફાયો

જમ્મુ કાશ્મીરનાં શોપીયાં વિસ્તારમાં સેના એ સપાટો બોલાવતા ચાર જ દિવસમાં હિઝબુલનાં બે મોટા ગજાનાં કમાંડર સહિત 14 આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેતા આતંકીઓના આકાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક બાદ એક આતંકવાદીઓના ગુપ્ત ઠેકાણાઓ જ તેમના માટે કબર બની રહ્યા છે. સુરક્ષા દળો નાના મોટા એક એકને વીણીની ઠાર મારી રહી હોવાથી તેની ગુંજ […]

આતંકીઓનાં કિલ્લા શોપિયાંમાં સેનાનો સપાટો, અત્યાર સુધીમાં 40 આતંકીઓ ઠાર, ચાર જ દિવસમાં હિઝબુલનાં બે કમાન્ડર સહિત 14નો સફાયો
http://tv9gujarati.in/kashmir-ma-sena-…-ma-14-ne-maarya/
Follow Us:
| Updated on: Jun 11, 2020 | 3:23 PM

જમ્મુ કાશ્મીરનાં શોપીયાં વિસ્તારમાં સેના એ સપાટો બોલાવતા ચાર જ દિવસમાં હિઝબુલનાં બે મોટા ગજાનાં કમાંડર સહિત 14 આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેતા આતંકીઓના આકાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક બાદ એક આતંકવાદીઓના ગુપ્ત ઠેકાણાઓ જ તેમના માટે કબર બની રહ્યા છે. સુરક્ષા દળો નાના મોટા એક એકને વીણીની ઠાર મારી રહી હોવાથી તેની ગુંજ પાકિસ્તાન સુધી પહોચી છે. અગર નાની મોટી એકાદ બે ઘટનાઓને નજરઅંદાજ કરીએ તો હાલમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી અભિયાનમાં ન તો પથ્થરમારો થયો છે કેે ન તો કોઈ એ હડતાળ કરી છે. એનો મતલબ એ છે કે આતંકવાદીઓ ને મળી રહેલા સમર્થનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સુરક્ષા એજન્સીઓ એ આ વર્ષે દેશી વિદેશી મળીને 250 આતંકવાદીઓને લીસ્ટ પર લીધા હતા જેમાંથી 70 જેટલા તો શોપિયાં જ સક્રિય હતા, 50 જેટલા સ્થાનિક હતા. વિતેલા પાંચ મહિનામાં બે ડઝન જેટલા સ્થાનિક યુવાનો આતંકવાદી બન્યા જેમાના મોટા ભાગના ને ઠાર મારવામાં આવ્યા તો અમુક પાછા ઘરે આવી ગયા છે.

શોપિયાં વિસ્તારની વાત કરીએ તો તેને આતંકવાદીઓનો ગઢ એમ નેમ નથી કહેવાતો, સુરક્ષા એજન્સીઓેએ આતંકીઓના ખાત્માની શરૂઆત શોપિયાથી જ કરી હતી. દક્ષિણ કાશ્મીરના પીર પંચાલના પહાડી વિસ્તારનાં ડાબા ભાગે પડતું શોપિયાં, એ જમ્મુ કાશ્મીરનું પ્રવેશ દ્વાર છે. આવિસ્તારમાં દુર દુર સુધી જંગલ છે એ સિવાય આ એક ગ્રામ્ય વિસ્તાર પણ છે. આતંકવાદીઓને આ વિસ્તારમાંથી કેડરની કોઈ દિવસ કમી જ નથી રહી. ભાગલાવાદીઓનું વર્ચસ્વ અને આતંકીઓ સાથેના જોડાણે તેમના માટે સ્વર્ગનું નિર્માણ કર્યું હતું. ઉપરાંત આ એ વિસ્તાર છે કે જ્યાં 2009માં બે યુવતિઓની લાશ મળી આવેલી અને તે લાશ માટે સુરક્ષા દળને જવાબદાર ગણાવવાની પેરવી રચવામાં આવી હતી, જો કે સીબીઆઈ તપાસમાં સત્ય સામે જ આવી ગયું. એટલે કે આ વિસ્તાર સુરક્ષા દળો માટે પડકારરૂપ બની રહ્યો હતો.

સવા ત્રણ લાખની વસ્તી વાળુ શોપિયાં પહેલેથી જ કાશ્મીરમાં ભાગલાવાદી રાજનીતિનું કેન્દ્ર બની રહ્યું. વર્ષ 2005 થી લઈ 2009 સુધી આ વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓ ઓછી થઈ હતી પરંતુ વર્ષ 2010 ફરી સુરક્ષા દળ માટે માથાનો દુખાવો બની રહ્યું.  આઠ વર્ષમાં વસીમ મલ્લા, જીનત ઈસ્લામ, સદ્દામ પડર, એતમાદ, જુબૈર તુર્રે જેવા કેટલાય ખુંખાર આતંકીઓ પેદા થયા અને માર્યા ગયા. એક IPS અધિકારીનો ભાઈ પણ આતંકવાદી બની ગયો હતો.  આ જ વર્ષે જાન્યુઆરીમાં DSP દેવેન્દ્રસિંહ સાથે પકડાઈ ગયો તે આતંકી નવીદ મુસ્તાક પણ શોપિયાં થી જ છે. સુરક્ષા એજન્સીઓ મુજબ પાછલા ત્રણ વર્ષમાં લગભગ 100 નવા આતંકીઓ આ વિસ્તારે આપ્યા છે અને 80 જેટલા માર્યા ગયા. હવે જ્યારે તેમના રેતીનો કિલ્લો ધસવા લાગ્યો ત્યારે તેમણે સ્થાનિક લોકો અને પોલીસ કર્મીઓને નિશાન બનાવવાની શરૂઆત કરી છે, આવી 15 જેટલી ઘટના સામે આવી છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

શોપિયાંનો કિલ્લો ધ્વસ્ત કરવા માટે સુરક્ષા એજન્સીઓ વચ્ચેનો તાલમેલ, યુવાનોનું કાઉન્સેલીંગ, સોશ્યલ મીડિયા પર કડક નજર, આતંકીઓના ઓવરગ્રાઉન્ડ વર્કર નેટવર્ક સાથે કામ કરનારા નેતાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીનું પરિણામ છે જે આજે અસર દેખાડી રહ્યું છે. આતંકીઓના કિલ્લાનાં કાંગરા ખેરવવાવાળા એક અધિકારીની વાત માનીએ તો આતંકીઓનાં પ્રભાવનાં આધાર પર ત્રણ વિસ્તાર જેનપોરા, શોપિયા અને કેલ્લરમાં વિભાજીત કરીને રાખવામાં આવ્યું છે. આ વિસ્તારમાં સુરક્ષાદળો એ પોતાનું ઈન્ટેલીજન્સ નેટવર્ક પાવરફુલ બનાવી દીધું. શોપિયાંમાં પાંચ મહિનામાં ત્રણ ડઝનની આસપાસ આતંકવાદી ઠેકાણાને નષ્ટ કરી નાખવામાં આવ્યા, જ્યારે 80 જેટલા આતંકીઓનાં મદદગારને પકડી લેવાયા છે. આમ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનાં સ્વપ્નનાં વિસ્તાર શોપિયાંમાં જ તેમની કબર ખોદી નાખવામાં સેનાને સફળતા મળી છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">