Karnataka Hijab Row: મેંગલોર યુનિવર્સિટીમાં હિજાબ પહેરેલા વિદ્યાર્થીઓને ક્લાસમાં પ્રવેશતા અટકાવાયા, સીએમએ કહ્યું- કોર્ટે ચૂકાદો આપી દીધો છે
Karnatakaમાં ફરી શરૂ થયેલા હિજાબ વિવાદ પર કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈઃ આ મુદ્દો ફરીથી ઉઠાવવાની જરૂર નથી. કોર્ટ પોતાનો ચુકાદો આપી ચૂકી છે. દરેક વ્યક્તિ તેને અનુસરે છે. દરેક વ્યક્તિએ કોર્ટના નિર્ણયનું પાલન કરવું પડશે.
Karnataka Hijab Row: કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી હિજાબને લઈને ફરી એકવાર વિવાદ શરૂ થયો છે. મેંગ્લોર યુનિવર્સિટીમાં આજે ફરી કેટલીક છોકરીઓ હિજાબ પહેરીને કેમ્પસમાં પ્રવેશી હતી. આ પછી આ વિદ્યાર્થિનીઓને ક્લાસમાં પ્રવેશતા અટકાવી દેવામાં આવ્યા હતા. દરમિયાન રાજ્યમાં ફરી શરૂ થયેલા હિજાબ વિવાદ પર કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કહ્યું કે, ‘આ મુદ્દો ફરીથી ઉઠાવવાની જરૂર નથી. કોર્ટ પોતાનો ચુકાદો આપી ચૂકી છે. દરેક વ્યક્તિ તેને અનુસરે છે. દરેકે કોર્ટના નિર્ણયનું પાલન કરવું પડશે.
મળતી માહિતી મુજબ, મેંગ્લોર યુનિવર્સિટી કોલેજમાં શનિવારે કેટલીક વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને ક્લાસમાં આવી હતી. પરંતુ તેઓને વર્ગમાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. અહીં પ્રિન્સિપાલ ડૉ.અનસૂયા રાયે કહ્યું કે આ છોકરીઓ હિજાબ ઉતારીને ક્લાસમાં પ્રવેશી શકે છે પરંતુ વિદ્યાર્થીનીઓએ હિજાબ ઉતારવાની ના પાડી દીધી. જ્યારે હિજાબ પહેરેલી આ છોકરીઓને ક્લાસમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો, ત્યારે આ તમામ છોકરીઓ લાઇબ્રેરીમાં ગઈ હતી, જ્યાં તેમને પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
સીએમનું નિવેદન
Karnataka CM Basavaraj Bommai on #HijabRow resurfacing, said, "There is no need of raising an issue. Court has already given its judgement. Everyone is following it, 99.99% have followed… whatever decision they take, it has to be followed." pic.twitter.com/Sj8VuSVljW
— ANI (@ANI) May 28, 2022
વર્ગમાં હિજાબ ન પહેરો
યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર એસ યેદાપદિથયાએ જણાવ્યું હતું કે કોલેજ વિકાસ સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીનીઓ કેમ્પસમાં હિજાબ પહેરી શકે છે પરંતુ તેમને વર્ગખંડો અને પુસ્તકાલયોમાં હિજાબ પહેરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આમ છતાં જો તે હિજાબ પહેરીને ક્લાસમાં પ્રવેશે છે તો તે ખોટું છે.
ગુરુવારે 44 વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવી હતી.
આ પહેલા ગુરુવારે લાંબા સમય બાદ કર્ણાટકમાં ફરી હિજાબનો વિવાદ શરૂ થયો હતો. વિદ્યાર્થિઓના એક જૂથે આરોપ લગાવ્યો હતો કે 44 મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને ક્લાસમાં પ્રવેશી રહી હતી. આ પછી કેટલાક વિદ્યાર્થીઓએ આ મુદ્દે વિરોધ પણ કર્યો હતો અને ધરણા પર બેઠા હતા. વિદ્યાર્થીઓએ કહ્યું કે રાજ્યની કોલેજોમાં હિજાબ પહેરવાની મંજૂરી નથી. આમ છતાં આ કોલેજની છોકરીઓ હિજાબ પહેરે છે.
ફેબ્રુઆરીમાં આદેશ જારી કરવામાં આવ્યો હતો
નોંધપાત્ર રીતે, હિજાબ વિવાદને પગલે, કર્ણાટક સરકારે ફેબ્રુઆરીમાં એક આદેશ જારી કરીને રાજ્યની શાળાઓ અને પ્રિ-યુનિવર્સિટી કોલેજોના વિદ્યાર્થીઓ માટે તેમના અથવા ખાનગી સંસ્થાઓ દ્વારા નિર્ધારિત યુનિફોર્મ પહેરવાનું ફરજિયાત બનાવ્યું હતું. જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાઇકોર્ટે 15 માર્ચે કેટલીક મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી હતી, જેમાં ક્લાસરૂમની અંદર હિજાબ પહેરવાની પરવાનગી માંગવામાં આવી હતી.