JRD TATA Birthday: કોંગ્રેસ સાથે છેડો નાખવા માંગતા હતા જેઆરડી ટાટા, પરંતુ પછી માંડી વાળ્યું, જાણો શું હતું કારણ ?

ટાટા દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક હતા અને ભારતીય વડાપ્રધાનો સાથે ગાઢ સબંધો પણ ધરાવતા હતા.

JRD TATA Birthday: કોંગ્રેસ સાથે છેડો નાખવા માંગતા હતા જેઆરડી ટાટા, પરંતુ પછી માંડી વાળ્યું, જાણો શું હતું કારણ ?
JRD TATA Birthday
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 1:06 PM

JRD TATA Birthday: આજે જહાંગીર રતનજી દાદાભાઇ ટાટા એટલે કે જેઆરડી અથવા ‘જેહ’ નો જન્મદિવસ છે. તેમણે એર ઈન્ડિયા (AIR INDIA) ને ઉભી કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. ટાટા એન્જિનિયરિંગ અને લોકોમોટિવ કંપની (ટેલ્કો) ની રચના થઈ. તેમની બધી સંપત્તિ ટાટા સન્સના નામે કરી દીધી.

ટાટા દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક હતા અને ભારતીય વડાપ્રધાનો સાથે ગાઢ સબંધો પણ ધરાવતા હતા. તેમણે યુવાની દરમિયાન કોંગ્રેસમાં જોડાવાનું વિચાર્યું હતું જે બાદમાં વિચાર છોડી દીધો હતો.

એસ.એ. સબાવાલા અને રૂસી એમ લાલાની પુસ્તક ‘કીનોટ’ માં જેઆરડીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ‘હું નાનો હતો ત્યારે કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો વિચાર આવ્યો હતો. પરંતુ જ્યારે મેં જોયું કે મારે નેતા તરીકે જેલમાં જવું પડશે, તો હું ત્યાં રહીને કંઇક વિશેષ કરી શકીશ નહીં, કે જેલની જીંદગીની આદત પડી શકશે નહીં, તેથી મેં ઉદ્યોગ દ્વારા દેશની સેવા કરવાનું નક્કી કર્યું.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કેવા હતા દેશના પહેલા વડા પ્રધાન નહેરુ સાથે સબંધો જેઆરડી દેશના પહેલા વડાપ્રધાનના સમાજવાદથી પ્રભાવિત ન હતા. જોકે જેઆરડી તેના પ્રશંસક અને મિત્ર હતા. એક મુલાકાતમાં જેઆરડીએ કહ્યું હતું કે જ્યારે પણ તેઓ આર્થિક મુદ્દાઓ પર વાત કરતા, સામાન્ય રીતે નહેરુએ તેના પર ધ્યાન આપતા નહીં. એર ઈન્ડિયાના રાષ્ટ્રીયકરણને લઈને બંને વચ્ચે મતભેદ હતા. જેઆરડી ઇચ્છતા ન હતા કે એર ઇન્ડિયા સરકાર ચલાવે. આ બાબતે આખરે નેહરુ જીતી ગયા.

નહેરુને પૂછ્યું હતું કે રાજકીય પાર્ટીને ફંડ આપું કે નહીં ટાટા જૂથ કોંગ્રેસ પાર્ટીને ભંડોળ પૂરું પડતું હતું. 1961 માં, રાજા ગોપાલાચારીએ જેઆરડીને એક પત્ર લખીને ‘સ્વતંત્ર પાર્ટી’ માટે ફંડની માંગણી કરી. ત્યારબાદ જેઆરડીએ નહેરુને એક પત્ર લખ્યો.

જેઆરડીએ દલીલ કરી હતી કે તેઓ ઈચ્છતા નથી કે દેશમાં કમ્યુનિસ્ટ પાર્ટી બીજો પક્ષ ન રહે, કેમ કે તેમાં આત્મામાં લોકશાહી નથી, તેથી તેમણે ‘સ્વતંત્ર પાર્ટી’ ને દાન આપીને મજબૂત બનાવવાનું નક્કી કર્યું છે. નેહરુએ આ માટે પોતાની સંમતિ આપી પણ સાથે લખ્યું, ‘સ્વતંત્ર પાર્ટી’ દેશમાં ક્યારેય મજબૂત સ્થિતિમાં આવી શકશે નહીં.

મોરારજી દેસાઈને ક્યારેય માફ નહીં કર્યા જેઆરડીના જીવનની સૌથી ખરાબ ક્ષણ, એ હતી કે જ્યારે તેમના એક સમયના મિત્ર અને ત્યારબાદ વડાપ્રધાન મોરારજી દેસાઇએ તેમને એર ઇન્ડિયાથી બહાર ફેંકી દીધા હતા. તેમની જગ્યાએ, તેમના જુનિયર અધિકારીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. જેઆરડીને પણ આ વિશે એકવાર કહેવાનું વિચાર્યું પણ નથી.

જ્યારે અખબારોએ દેસાઈને આ બાબતે કહ્યું ત્યારે મોરારજીએ તેમને પત્ર લખ્યો હતો અને સરકારના નિર્ણય અંગે જણાવ્યું હતું. જેઆરડીને એટલું દુ:ખ થયું કે તે આ બાબતને લઈને મોરારજીને કદી માફ કરી શક્યા નહીં.

ઇન્દિરા ગાંધીના વખાણ પણ કર્યા જેઆરડી એવા કેટલાક લોકોમાં સામેલ હતા જેમણે ઈંદિરા ગાંધી (Indira Gandhi) ની ઇમરજન્સીને યોગ્ય ગણાવી હતી. કારણ કે આ દરમિયાન હડતાલ અને દેખાવો થંભી ગયા હતા, જેનાથી ઉદ્યોગને ફાયદો થયો હતો. તાજેતરમાં, આપણે વાંચ્યું છે કે કેવી રીતે ઇન્દિરા ગાંધીએ જેઆરડીને પત્ર લખ્યો હતો કે જ્યારે પણ તમે મને મળવા અથવા પોતાનો અભિપ્રાય આપવા માંગતા હો, ત્યારે તમારું સ્વાગત છે. જો કે, જ્યારે ઇન્દિરાએ રાષ્ટ્રીયકરણની પહેલ કરી હતી, ત્યારે તે અંગે બંને વચ્ચે મતભેદ પણ હતા.

રાજીવ ગાંધી સાથેના સંબંધો રાજીવ ગાંધી જ્યારે અર્થતંત્રના બંધ દરવાજા ખોલી રહ્યા હતા, ત્યારે તેમણે આર્થિક મુદ્દાઓ પર ઉદ્યોગકારોના અભિપ્રાયને જાણવાનો પ્રયાસ કર્યો. જ્યારે 1991 માં અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે ખીલી હતી, ત્યારે 87 વર્ષીય જેઆરડીએ કહ્યું હતું કે તે આ અંગે ખુશ પણ છે અને દુખી પણ છે. ખુશ છે કારણ કે દેશે આખરે સાચો રસ્તો અપનાવ્યો છે અને અફસોસ એ બાબતનો છે કે ઉંમરના આ તબક્કે, તે તેનો ભાગ બની શક્યા નહીં.

1992 માં સરકાર દ્વારા જેઆરડીને ‘ભારત રત્ન’ એનાયત કરાયો હતો. ત્યારે તેમણે એક ભાષણમાં કહ્યું, ‘એક અમેરિકન અર્થશાસ્ત્રીએ કહ્યું છે કે, આગામી સદીમાં ભારત આર્થિક મહાસત્તા બનશે. મારે આ નથી જોઈતું. હું ઈચ્છું છું કે ભારત એક સુખી દેશ બને.

આ પણ વાંચો: Surat : તક્ષશિલા અગ્નિકાંડ બાદ તંત્રની આંખ ઉઘડી, નવા 13 ફાયર સ્ટેશન ઉભા કરાશે

આ પણ વાંચો: અદભુત !! ગુજરાતના વેળાવદર નેશનલ પાર્કના કાળા હરણનો વિડીયો વડાપ્રધાને કર્યો રીટ્વીટ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">