BJP સત્તામાં આવશે તો હૈદરાબાદ બની જશે ભાગ્યનગર, પૂર્વ CM રઘુવર દાસે કહ્યું- તેલંગાણાના લોકોમાં TRS સરકાર સામે રોષ

રાજસ્થાનના ઉદયપુર મર્ડર (Udaipur Murder) પર પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસે કહ્યું કે ગરીબ પરિવારમાંથી આવતા કન્હૈયા લાલની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેણે કહ્યું કે હત્યારાઓ ISIS અને પાકિસ્તાન સાથે સંબંધિત છે.

BJP સત્તામાં આવશે તો હૈદરાબાદ બની જશે ભાગ્યનગર, પૂર્વ CM રઘુવર દાસે કહ્યું- તેલંગાણાના લોકોમાં TRS સરકાર સામે રોષ
ઝારખંડના પૂર્વ સીએમ રઘુવર દાસે કહ્યું- લોકો અને મુસ્લિમ સમુદાયે ઓવૈસીને નકાર્યા (ફાઇલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 8:53 AM

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા રઘુવર દાસે (Raghubar Das)શુક્રવારે હૈદરાબાદના ભાગ્યલક્ષ્મી મંદિરની (Bhagya Lakshmi Temple) મુલાકાત લીધી હતી. અને દેવીના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે જો તેલંગાણા રાજ્યમાં ભાજપ સત્તામાં આવશે તો હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે અહી વ્યાપારી હોય કે સામાન્ય લોકો, તેઓમાં TRS સરકાર સામે નારાજગી છે. રઘુવર દાસે કહ્યું કે આ એટલા માટે છે કારણ કે આ સરકાર વંશવાદની રાજનીતિ કરે છે અને માત્ર પરિવાર વિશે જ વિચારે છે. બીજી તરફ રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યા(Kanhaiya Lal Murder પર પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસે કહ્યું કે હત્યારાઓનું પાકિસ્તાન સાથે કનેક્શન છે.

તેલંગાણાના લોકો ભાજપની તરફેણમાં છે

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસે કહ્યું કે TRS પાર્ટીએ ક્યારેય તેલંગાણાના લોકોના કલ્યાણ વિશે વિચાર્યું નથી. તેમણે કહ્યું કે અહીંના લોકો હવે ભાજપની તરફેણમાં છે. આ દરમિયાન તેણે ઓવૈસી પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ઝારખંડના લોકોએ ખાસ કરીને મુસ્લિમ સમુદાયે ઓવૈસીને નકારી કાઢ્યા છે. તેઓ ઝારખંડમાં એક પણ સીટ જીતી શક્યા નથી. રઘુવર દાસે કહ્યું કે જે લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરે છે તેમને પીએમ મોદીના શાસનમાં રાજકારણમાં કોઈ સ્થાન નથી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વોટ બેંક માટે હિંસા ભડકાવવાનો પ્રયાસ

બીજી તરફ રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યા પર પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસે કહ્યું કે હત્યારાઓના આતંકવાદીઓ સાથે કનેક્શન છે. તેમણે કહ્યું કે ગરીબ પરિવારમાંથી આવતા કન્હૈયા લાલની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેણે કહ્યું કે હત્યારાઓ ISIS અને પાકિસ્તાન સાથે સંબંધિત છે. રઘુવર દાસે કહ્યું કે ભાજપ ક્યારેય લોકોને વિભાજિત કરવાની રાજનીતિ કરતું નથી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેઓ રાજકીય વોટ બેંક ખાતર હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસે હંમેશા તુષ્ટિકરણની રાજનીતિ કરી છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">