Jammu Kashmir: અનંતનાગમાં પોલીસ અને CRPF જવાનો પર આતંકી હુમલો, SPO ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ

અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે. CRPFના જવાનો આતંકીની શોધમાં લાગેલા છે. ઘાયલ પોલીસકર્મીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

Jammu Kashmir: અનંતનાગમાં પોલીસ અને CRPF જવાનો પર આતંકી હુમલો, SPO ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ
Jammu and Kashmir
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 4:50 PM

કાશ્મીરના (Jammu Kashmir) અનંતનાગમાં આતંકવાદીઓએ (Terrorists) પોલીસ અધિકારીઓ પર હુમલો કર્યો છે, જેમાં સ્પેશિયલ પોલીસ ઓફિસર ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલો આજે બપોરે કુર્કાદલના બિજભેરા વિસ્તારમાં દારા શિકોહ પાર્કમાં થયો હતો, જેમાં એસપીઓ ગુલામ કાદિર ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે. CRPFના જવાનો આતંકીની શોધમાં લાગેલા છે. ઘાયલ પોલીસકર્મીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધી તેમની તબિયત વિશે કોઈ અપડેટ નથી પરંતુ ડોકટરો તેમની સારવાર કરી રહ્યા છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આ પહેલા જમ્મુ-કાશ્મીરના બાંદીપુરામાં આતંકવાદી હુમલામાં બિહારના એક મજૂરનું મોત થયું હતું. આ હુમલો બાંદીપુરા જિલ્લાના ઉજાસ વિસ્તારમાં મોડી રાત્રે થયો હતો, જ્યાં બિહારના મધેપુરાના રહેવાસી મોહમ્મદ અમરેઝ આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા. આ મામલાની માહિતી આપતાં કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું કે, ઈજાગ્રસ્ત થતા તરત જ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું.

આ પહેલા ગુરુવારે આતંકવાદીઓએ ફરી એકવાર ઉરી હુમલા જેવું કાવતરું ઘડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ વખતે તેઓ સુરક્ષા દળોની નજરથી બચી શક્યા ન હતા. ગુરુવારે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આર્મી કેમ્પ પર બે આતંકવાદીઓએ ફિદાયીન હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા હતા. ચાર કલાક સુધી ચાલેલા ગોળીબાર બાદ બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે પરગલમાં લશ્કરી છાવણીના બહારના વર્તુળમાંથી અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓએ બપોરે 2 વાગ્યાની આસપાસ પ્રથમ વખત ગોળીબાર કર્યો હતો.

રાજૌરીથી પરગલનું અંતર 25 કિલોમીટર છે, જ્યારે જમ્મુથી તે 185 કિલોમીટર છે. હુમલો કરનારા બંને ફિદાયીન સંભવત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદના હતા. બંને આતંકીઓએ રાત્રે જ કેમ્પમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સતર્ક સૈનિકોએ તેમને જોયા અને ત્યારબાદ ગોળીબાર શરૂ થયો હતો.

આ હુમલામાં સુબેદાર રાજેન્દ્ર પ્રસાદ, રાઈફલમેન મનોજ કુમાર અને રાઈફલમેન લક્ષ્મણન ડી શહીદ થયા હતા. એક અધિકારીએ કહ્યું છે કે અમે અમારા ત્રણ જવાન ગુમાવ્યા છે અને અમે તેના માટે શોક વ્યક્ત કરીએ છીએ. સુબેદાર રાજેન્દ્ર પ્રસાદ રાજસ્થાનના ઝુંઝુનુના, રાઈફલમેન મનોજ કુમાર હરિયાણાના ફરીદાબાદના, રાઈફલમેન લક્ષ્મણન ડી તમિલનાડુના મદુરાઈના છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">