Jammu Kashmir: હૈદરપોરા એન્કાઉન્ટરને લઈ રાજકારણ તેજ, હવે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કરી તપાસની માંગ

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા (Manoj Sinha)એ ગુરુવારે જણાવ્યું હતું કે હૈદરપોરા એન્કાઉન્ટર કેસમાં એડીએમ રેન્કના અધિકારીની આગેવાની હેઠળ મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

Jammu Kashmir: હૈદરપોરા એન્કાઉન્ટરને લઈ રાજકારણ તેજ, હવે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કરી તપાસની માંગ
Congress leader Ghulam Nabi Azad (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 9:08 PM

જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે (Congress Leader Ghulam Nabi Azad) કહ્યું કે કાશ્મીર ઘાટીમાં હૈદરપોરા (Hyderpora)માં જે એન્કાઉન્ટર થયું. જેમાં જે સામાન્ય નાગરિકના મોત થયા, તેની તપાસ થવી જોઈએ.

ગુલામ નબી આઝાદે કહ્યું કે તેમના સમયમાં પણ ઘણા નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી, જેમને આતંકવાદી ગણાવ્યા હતા પણ તપાસમાં તે નિર્દોષ નિકળ્યા હતા અને આજે ગુનેગારો જેલમાં છે. સાથે જ કહ્યું કે સુરક્ષાદળ સારૂ કામ કરી રહ્યા છે પણ સિક્યોરિટી ફોર્સને પણ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. તે સિવાય કહ્યું કે આ મામલે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સાથે પણ વાત થઈ છે, તેમને કહ્યું કે અમે જમ્મૂ કાશ્મીરને રાજ્ય બનાવીશું.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ હૈદરપોરા એન્કાઉન્ટર કેસમાં મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા

જમ્મુ અને કાશ્મીર સરકારે હૈદરપોરા એન્કાઉન્ટર કેસની તપાસનો આદેશ આપ્યો છે, જેમાં બે આતંકવાદીઓ સહિત ચાર લોકો માર્યા ગયા હતા. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા (Manoj Sinha)એ ગુરુવારે જણાવ્યું હતું કે હૈદરપોરા એન્કાઉન્ટર કેસમાં એડીએમ રેન્કના અધિકારીની આગેવાની હેઠળ મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

એલજીની ઓફિસે ટ્વિટ કરીને લખ્યું કે, હૈદરપોરા એન્કાઉન્ટરમાં એડીએમ રેન્કના અધિકારી દ્વારા મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રિપોર્ટ બહાર આવતાની સાથે જ સરકાર યોગ્ય પગલાં લેશે.” કેન્દ્રશાસિત પ્રદેશના લોકોને ખાતરી આપતા ઉપરાજ્યપાલે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પ્રશાસન નિર્દોષ નાગરિકોના જીવનની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને તેની કાળજી લેવામાં આવશે. કોઈના દ્વારા કોઈને નુકસાન થઈ શકે નહીં કોઈપણ પ્રકારનો અન્યાય ન થવો જોઈએ.

હકીકતમાં, હૈદરપોરામાં સોમવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબારમાં 4 લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં બે નાગરિકોનો સમાવેશ થાય છે, જ્યારે બે શંકાસ્પદ આતંકવાદીઓ સામેલ છે. જમ્મુ-કાશ્મીરના રાજકીય નેતાઓએ આ ઘટના પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા મહેબૂબા મુફ્તી અને અન્ય પક્ષના નેતાઓએ બુધવારે હૈદરપોરા એન્કાઉન્ટરમાં નાગરિકોની કથિત હત્યા સામે જમ્મુમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

એક સત્તાવાર નિવેદનમાં, જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, હૈદર અને અમીર અહેમદ તરીકે ઓળખાતા બે આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઈમારતના માલિક અલ્તાફ અહેમદ તેમજ ભાડૂત મુદાસિર અહેમદ આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગોળી વાગવાને કારણે ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેઓ બાદમાં ઈજાઓના કારણે મૃત્યુ પામ્યા હતા.

આ પણ વાંચો: UP Assembly Election: ભાજપે દિલ્હીની બેઠકમાં ચૂંટણી રેલી, કાર્યક્રમ અને રથયાત્રા અંગે રણનીતિ તૈયાર કરી

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">