Jammu Kashmir: કાશ્મીર ઝોનની પોલીસે રાહુલ ગાંધીના દાવાને ફગાવ્યો, કહ્યુ- સુરક્ષામાં કોઈ ક્ષતિ નહોતી
કાશ્મીર ઝોનની પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, યાત્રાને લઈને પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. CAPFની 15 કંપનીઓ અને JKPની 10 કંપનીઓ સહિત સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે સુરક્ષામાં કોઈ ક્ષતિ નહોતી.
કાશ્મીર ઝોનની પોલીસે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના દાવાને ફગાવી દીધો છે. પોલીસે કહ્યું કે કોંગ્રેસના નેતાની સુરક્ષામાં કોઈ ખામી નથી. પોલીસે જણાવ્યું હતું કે ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન માત્ર અધિકૃત વ્યક્તિઓને જ કોર્ડનની અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. બીજેવાયના આયોજકો અને મેનેજરોએ બનિહાલથી યાત્રામાં જોડાનારા લોકો વિશે માહિતી આપી ન હતી.
યાત્રાને લઈને પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે
કાશ્મીર ઝોનની પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, યાત્રાને લઈને પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. CAPFની 15 કંપનીઓ અને JKPની 10 કંપનીઓ સહિત સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે 1 કિમીની યાત્રા કર્યા પછી યાત્રાને રદ કરવાનો કોઈ નિર્ણય લેતા પહેલા આયોજકો દ્વારા જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે વાત કરવામાં આવી ન હતી. સુરક્ષામાં કોઈ ક્ષતિ નહોતી.
Only authorised persons as identified by organisers & frisked crowd was allowed inside towards route of Bharat Jodo Yatra.Organisers&managers of BJY did not intimate about large gathering from Banihal joining the Yatra.Full security arrangements were in place: Kashmir Zone Police pic.twitter.com/UmJtPUeuY4
— ANI (@ANI) January 27, 2023
આ પણ વાંચો : Rahul Gandhi એ ફરી આપ્યું વિવાદાસ્પદ નિવેદન,કહ્યુ કે મારે રાહુલ ગાંધી સાથે કોઇ લેવા-દેવા નથી !
આ પહેલા રાહુલ ગાંધીએ સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આજે મોટી સંખ્યામાં લોકો યાત્રા માટે આવ્યા હતા, પરંતુ અચાનક જ પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે થંભી ગયું હતું. મારા સુરક્ષાકર્મીઓ મારી આગળની યાત્રાના વિરોધમાં હતા. તેમની વાત સાંભળ્યા બાદ મારે મારી યાત્રા સ્થગિત કરવી પડી. હું આશા રાખું છું કે આવતીકાલે અને બીજા દિવસે યાત્રા માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. રાહુલે કહ્યું કે મારે યાત્રા રદ્દ કરવી પડી કારણ કે હું મારા સુરક્ષાકર્મીઓની વિરુદ્ધ જઈ શકું તેમ નથી.
યાત્રાના 133 દિવસમાં આટલી મોટી સુરક્ષાને લઈ ભૂલ થઈ નથી
લોકોની ભીડને સંભાળવા માટે પોલીસકર્મીઓ દેખાતા ન હતા. તેમણે કહ્યું કે સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી જમ્મુ-કાશ્મીર પ્રશાસનની છે. મને આશા છે કે હવે યાત્રાના બાકીના દિવસોમાં સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. કોંગ્રેસે કહ્યું કે યાત્રાના 133 દિવસમાં આટલી મોટી સુરક્ષાને લઈ ભૂલ થઈ નથી. જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રનું શાસન છે, આ ભૂલની જવાબદારી કોની? આખરે રાહુલ ગાંધીની સુરક્ષામાં આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ?
જયરામ રમેશે કહ્યું કે ભારત પહેલા જ ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને ગુમાવી ચૂક્યું છે, કોઈપણ સરકાર કે પ્રશાસને આવી બાબતો પર રાજનીતિ કરવાથી દૂર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે, રાજનીતિની પોતાની જગ્યા છે, પરંતુ કાશ્મીર ઘાટીમાં રાહુલ ગાંધીની સુરક્ષા સાથે રમત કરીને સરકારે પોતાનું સૌથી નીચું સ્તર દર્શાવ્યું છે.