Jammu-Kashmir : સૈન્ય જવાનો પર ગોળીબાર કરનાર આતંકવાદી કુલગામ એન્કાઉન્ટરમાં ઠાર
ભારતીય સેના આતંકવાદનો હંમેશા જડબાતોડ જવાબ આપે છે. જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પણ આતંકવાદીઓ સામે સેનાએ જવાબી કાર્યવાહી કરી અને 1 આતંકીને ઠાર કર્યો છે
જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના કુલગામ (Kulgam)ના અસમુજી વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટર(Encounter)માં સુરક્ષા દળોએ એક આતંકવાદી(Terrorist)ને ઠાર કર્યો છે. બાતમીના આધારે સુરક્ષા દળો(Security forces)એ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ વિસ્તારમાં બે આતંકવાદીઓ (Terrorist)ને ઘેરી લીધા, ત્યારબાદ આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ 1 આતંકીને ઠાર કર્યો છે, જ્યારે એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકનો ઓછાયો પુરો થવાનુ નામ નથી લેતો. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વારંવાર ઘુષણખોરી કરતા હોય છે. જો કે ભારતીય સેના પણ આ આતંકવાદીઓને જવાબ આપવા કડક કાર્યવાહી કરતી હોય છે. જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સેનાએ આવી જ કાર્યવાહી કરી છે. જમ્મુ-કાશ્મીરના કુલગામના અસમુજી વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.
અગાઉ પણ આતંકવાદીઓ અનેક વાર ભારતીય સેનાને નિશાન બનાવતી આવી છે. આતંકવાદી હુમલાઓમાં આપણે ઘણા ભારતીય જવાનોને ગુમાવ્યા પણ છે જો કે આતંકવાદી મામલાઓમાં હવે કડકમાં કડક પગલા લેવામાં આવી રહ્યા છે.
હૈદરપોરા એન્કાઉન્ટરમાં મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ હૈદરપોરામાં એન્કાઉન્ટરમાં નાગરિકોના મોતની મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે, ત્યારબાદ તપાસ અધિકારી ખુર્શીદ અહેમદ શાહે કાર્યવાહી શરૂ કરી અને લોકો પાસેથી ઘટના અંગે માહિતી માંગી છે. અહેમદ શાહે નોટિસ જાહેર કરી છે કે, જેઓ સોમવારના એન્કાઉન્ટર અંગે તેમના નિવેદનો રેકોર્ડ કરવા માંગતા હોય, તેમને 10 દિવસમાં તેમની ઓફિસનો સંપર્ક કરવા વિનંતી છે. મહત્વનું છે કે આ એન્કાઉન્ટરમાં ચાર લોકો માર્યા ગયા હતા.
તપાસ અધિકારીની નિમણૂક કરાઇ શ્રીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ મોહમ્મદ એજાઝ અસદે શાહને તપાસ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “શ્રીનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ખુરશીદ અહેમદ શાહને ઘટના અને મૃત્યુના કારણને લગતા તથ્યો અને સંજોગોની તપાસ કરવા માટે તપાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.”