Jammu-Kashmir : શોપિયામાં એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓ ઠાર, અમરનાથ યાત્રામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરાશે

Jammu-Kashmir : બાબા મહોલ્લામાં આતંકીઓ હોવા અંગેની માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

Jammu-Kashmir : શોપિયામાં એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓ ઠાર, અમરનાથ યાત્રામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરાશે
JAMMU KASHMIR IG VIJAY KUMAR, PHOTO : ANI
Follow Us:
| Updated on: Apr 09, 2021 | 7:15 PM

Jammu-Kashmir : જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. શોપિયામાં આતંકવાદીઓ સાથેની આ અથડામણમાં સુરક્ષાદળોએ પાંચ આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે.

શોપિયામાં એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓ ઠાર Jammu-Kashmir ના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળોએ એક એન્કાઉન્ટરમાં આતંકી સંગઠન અંસાર ગજવતુલ હિંદ (AGuH)ના વડા ઈમ્તિયાઝ અહેમદ શાહ સહિત પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પોલીસે શુક્રવારે આ માહિતી આપી હતી. બાબા મહોલ્લામાં આતંકીઓ હોવા અંગેની માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. શોપિયા એન્કાઉન્ટર (Shopian Encounter) પર કાશ્મીરના આઈજીપી વિજય કુમારે કહ્યું છે કે પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેઓ સ્થાનિક આતંકવાદી છે. બે આતંકીઓ હિઝબુલ મુજાહિદ્દીન (Hezbollah Mujahideen)ના છે, એક લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) નો અને બે AGuHના છે.

મસ્જીદમાં છુપાયા હતા આતંકવાદીઓ કાશ્મીરના આઈજીપી વિજય કુમારે કહ્યું કે બાબા મહોલ્લામાં આતંકીઓ હોવા અંગેની માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેના પર સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી હતી અને અથડામણ શરૂ થઇ ગઈ હતી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

પોલીસે એક ટ્વિટમાં કહ્યું છે કે, આતંકવાદીના ભાઈ અને સ્થાનિક ઈમામસાહેબને મસ્જીદમાં છુપાયેલા આતંકવાદીને બહાર લાવવા અને સરેન્ડર કરવા માટે મોકલવામાં આવ્યા હતા. મસ્જિદને બચાવવા પ્રયાસો ચાલુ છે.” આતંકવાદીઓએ બપોરના સમયે આશરે ત્રણ વાગ્યે શોપિયા શહેરના ઈમામસાહિબ ખાતે પોલીસ અને CRPFની તપાસ ટીમ પર ફાયરિંગ કર્યું હતું.

Jammu-Kashmir: Five terrorists killed in encounter in Shopia, Amarnath pilgrimage to be tightened

FILE PHOTO : Amarnath Yatra

28 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા Jammu-Kashmir માં આ વર્ષની વાર્ષિક અમરનાથ યાત્રા ( Amarnath Yatra) 28 જૂનથી શરૂ થઈ રહી છે. અમરનાથ યાત્રામાં સુરક્ષાદળો દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જેમ જેમ બાતમી મળી રહી છે તેમ તેમ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ વખતે અમરનાથ યાત્રા 56 દિવસ ચાલશે અને આ માટે 1 એપ્રિલ, 2021 થી રજીસ્ટ્રેશન શરૂ થયું હતું. શ્રીઅમરનાથજીના દર્શન માટે દેશભરમાંથી ભક્તો આખું વર્ષ રાહ જુએ છે. શ્રીઅમરનાથ શ્રાઇન બોર્ડ મુસાફરોને આ યાત્રા સરળ બનાવવા માટે મોટા પ્રમાણમાં વ્યવસ્થા કરે છે. મુસાફરોના રોકાણ અને ભોજનથી લઈને તેમના માટે બસોની વ્યવસ્થા કરે પણ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">