Jammu-Kashmir Encounter: પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર, ત્રણ આતંકવાદીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીર પોલીસ દળની સંયુક્ત ટીમ પર છુપાયેલા આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો. એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને તેમની પાસેથી હથિયારો પણ મળી આવ્યા હતા.

Jammu-Kashmir Encounter: પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર, ત્રણ આતંકવાદીઓ ઠાર
Encounter underway between terrorists and security forces in Pulwama
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 9:16 AM

જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) પુલવામા જિલ્લામાં (Pulwama District) બુધવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. સુરક્ષા દળોને અહીં 2 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. એન્કાઉન્ટર સ્થળે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ અને પોલીસ તૈનાત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

જમ્મુ અને કાશ્મીર પોલીસ દળની સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધી રહી હતી. એવામાં છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર હુમલો કરી ગોળીબાર શરૂ કરી દીધો હતો અને એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ ફસાય હોવાની આશંકા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 3 અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા હતા અને તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો. દળનું ઓપરેશન હજુ ચાલુ છે.

મહત્વનું છે કે, આ અગાઉ 8 મી જુલાઈએ પુલવામામાં સુરક્ષાદળો સાથેની એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. હિંજબુલ મુજાહિદ્દીનના આતંકવાદી કમાન્ડર બુરહાન વાનીની હત્યાના 5 વર્ષ પૂરા થવા પર ગુરુવારે ખીણના કેટલાક વિસ્તારો બંધ રહ્યા હતા ત્યારે આ એન્કાઉન્ટર થયું હતું. તે જ દિવસે જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એક એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકીઓની ઓળખ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કિફાયત રમઝાન સોફી અને અલ બદ્રના ઇનાયત અહેમદ ડાર તરીકે કરવામાં આવી છે.

આ પણ વાંચો: સરકારેનો હિતકારી નિર્ણય: Oximeter અને Thermometer જેવા જરૂરી સામાનમાં લૂંટ થશે બંધ, સસ્તો થશે સામાન

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">