Jammu Kashmir: પુલવામાના પહુ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા

Jammu Kashmir: રવિવારે જમ્મુ-કાશ્મીરના પુલવામાના (Pulwama) પહુ વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) સાથે જોડાયેલા કુલ 3 આતંકવાદીઓ અત્યાર સુધીમાં માર્યા ગયા છે.

Jammu Kashmir: પુલવામાના પહુ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 6:09 PM

રવિવારે જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) પુલવામાના (Pulwama) પહુ વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) સાથે જોડાયેલા કુલ 3 આતંકવાદીઓ અત્યાર સુધીમાં માર્યા ગયા છે. હાલ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પહુ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો અને જવાબી કાર્યવાહી સાથે અથડામણ શરૂ થઈ.

બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા જૈશ-એ-મોહમ્મદ સંગઠનના બે પાકિસ્તાની આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. તે 2018થી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. પોલીસે રવિવારે આ જાણકારી આપી હતી. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે ટ્વીટ કર્યું કે, મૃત JeM આતંકવાદીઓની ઓળખ સુલતાન પઠાણ અને ઝબીઉલ્લાહ તરીકે થઈ છે, બંને પાકિસ્તાનના રહેવાસી છે. તે 2018થી કુલગામ, શોપિયાં જિલ્લામાં સક્રિય હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પુલવામાના પહુ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે

આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે, તેમની પાસેથી બે એકે રાઈફલ, સાત એકે મેગેઝીન અને નવ ગ્રેનેડ સહિત ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. આ એન્કાઉન્ટર શનિવારે કુલગામના મિરહામા વિસ્તારમાં થયું હતું જ્યારે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

બીજી તરફ સુંજવાનમાં આતંકવાદી એન્કાઉન્ટર કેસમાં કાશ્મીરના બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ શનિવારે આ માહિતી આપી. સુંજવાન એન્કાઉન્ટરમાં પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના બે આત્મઘાતી હુમલાખોરોને સશસ્ત્ર દળોએ ઠાર માર્યા હતા. અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે કહ્યું કે, પોલીસ વધુ બે કાવતરાખોરોને શોધી રહી છે, જેમણે સાંબા જિલ્લાના સપવાલથી બે આતંકવાદીઓને જમ્મુ લાવવામાં મદદ કરી હતી. અધિકારીએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલા બેમાંથી એક વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓ પશ્તો ભાષી હતા જેઓ કાં તો અફઘાન સરહદ પરના પાકિસ્તાની ગામમાંથી આવ્યા હતા અથવા તો અફઘાનિસ્તાનના હતા.

(ઇનપુટ ભાષા સાથે)

આ પણ વાંચો: Suratમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 54,005 ઉમેદવારો આપશે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા

આ પણ વાંચો: આજે બિનસચિવાલય ક્લાર્ક, સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા, કડક સુરક્ષા સાથે 32 જિલ્લાના 3243 કેન્દ્રો પર પરીક્ષા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">