Jammu-Kashmir : સેનાએ 24 કલાકમાં લીધો હુમલાનો બદલો, કાકાપોરામાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા

Jammu-Kashmir : જે આતંકવાદીઓએ સોપોરમાં નગરસેવકોની બેઠક દરમિયાન હુમલો કર્યો હતો, આ ઘટનાના 24 કલાકમાં જ સેનાએ ત્રણેય આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે.

Jammu-Kashmir :  સેનાએ 24 કલાકમાં લીધો હુમલાનો બદલો, કાકાપોરામાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા
ફાઈલ ફોટો
Follow Us:
| Updated on: Apr 02, 2021 | 3:52 PM

Jammu-Kashmir : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સેનાએ એન્કાઉન્ટર કરી ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ આતંકવાદીઓએ સોપોર (Sopor)માં નગરસેવકોની બેઠક દરમિયાન હુમલો કર્યો હતો, આ ઘટનાના 24 કલાકમાં જ સેનાએ ત્રણેય આતંકીઓને ઠાર માર્યા છે. જમ્મુ કાશ્મીરના આઈજી વિજય કુમાર (IG Vijay Kumar)ના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર અને અલાબદાર આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હતા.

કાકાપોરામાં આતંકવાદીઓનું એનકાઉન્ટર Jammu-Kashmir માં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. 2 અપ્રિલ શુક્રવારે સવારે સુરક્ષાદળોએ પુલવામા(Pulwama)ના કાકાપોરા(kakapora)માં 3 આતંકીઓને ઠાર કર્યા હતા. પુલવામાના કાકાપોરા આતંકવાદીઓ હોવાના અહેવાલ સુરક્ષાદળોને મળ્યા હતા. આ વિસ્તારમાં 3 આતંકવાદીઓ છુપાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આ સમાચાર મળતાની સાથે જ શુક્રવારે વહેલી સવારે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી જેમાં ત્રણેય આતંકવાદીઓનું એન્કાઉન્ટર (Encounter)થયું હતું અને ત્રણેય આતંકવાદીઓ ઠાર મરાયા છે. સુરક્ષાદળોને આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યાં છે, હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચહાથ ધરવામાં આવ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

24 કલાકમાં જ સેનાએ લીધો બદલો સુરક્ષાદળોએ 24 કલાકમાં જ આતંકીઓએ કરેલા હુમલાનો બદલો લીધો છે. 1 એપ્રિલ ગુરૂવારે શ્રીનગર(Shrinagar)ના સોપોરમાં આતંકવાદીઓએ નગરસેવકોની બેઠક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ભાજપના એક નગરસેવક તેમજ એક પોલીસકર્મી મૃત્યુ પામ્યા હતા અને એક નગરસેવક ઘાયલ થયા હતા. સુરક્ષાદળોએ આ હુમલાની ઘટનાના 24 કલાકમાં જ બદલો લીધો છે અને હુમલામાં શામેલ 4 માંથી ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે.

4 માંથી 2 આતંકવાદીઓની ઓળખ થઇ Jammu-Kashmirના આઈજી વિજય કુમાર (IG Vijay Kumar)એ જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં કુલ 3 આતંકવાદીઓ માર્યા ગયા છે, તેમણે વધુમાં કહ્યું કે ગુરૂવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી હુમલાની ઘટનામાં કુલ 4 આતંકવાદીઓ શામેલ હતા. જેમાંથી 2 ની ઓળખ થઈ હતી. તેમણે કહ્યું કે ગુરૂવારે આતંકવાદીઓ સુરક્ષા દળો પાસેથી જે હથિયાર લઈ ગયા હતા તે આજના એન્કાઉન્ટર બાદ રીકવર કરવામાં આવ્યા છે. વિજય કુમારના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર અને અલાબદાર આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હતા. બાકીના આતંકવાદીઓને પકડવા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">