Jammu Kashmir: કાશ્મીરી પંડિતના મોત બાદ અન્ય પરિવારોમાં ભયનો માહોલ, ઘર છોડવા માટે થયા મજબૂર

15 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતની (Kashmiri Pandit) ગોળી મારીને હત્યા કરી હતી. દક્ષિણ કાશ્મીર જિલ્લાના ચૌધરી ગુંડ વિસ્તારમાં પૂરણ કૃષ્ણ ભટ પર તેમના ઘર નજીક હુમલો કરવામાં આવ્યો હતો.

Jammu Kashmir: કાશ્મીરી પંડિતના મોત બાદ અન્ય પરિવારોમાં ભયનો માહોલ, ઘર છોડવા માટે થયા મજબૂર
Kashmiri Pandit Target Killings
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 4:15 PM

15 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) શોપિયાં જિલ્લાના ચૌધરી ગુંડ વિસ્તારમાં કાશ્મીરી પંડિત (Kashmiri Pandit) પૂરણ કૃષ્ણ ભટ્ટની હત્યા કરવામાં આવી હતી. તેની હત્યાના 10 દિવસ બાદ પણ આ વિસ્તારમાં સ્થિતિ સામાન્ય થઈ નથી. ગામના અન્ય કાશ્મીરી પંડિતો તેમના ઘર છોડીને જમ્મુ ભાગી ગયા છે. તે પોતાના ઘરમાં સુરક્ષિત અનુભવી રહ્યો નહોતા, જેના કારણે તેઓએ આટલું મોટું પગલું ભર્યું છે. તમને જણાવી દઈએ કે આ લોકોએ 90ના દાયકામાં પણ ઘર છોડ્યું ન હતું, પરંતુ હવે તેઓ મજબૂર છે.

TV9 ભારતવર્ષે જ્યારે આ લોકો સાથે વાત કરી તો તેઓએ સ્પષ્ટ કહ્યું કે ગમે તે થાય, તેઓ તેમના ગામ પાછા નહીં જાય. તેઓએ કહ્યું કે તે પોતાના ઘરમાં આખો સમય ડરમાં રહેતા હતા. તેમણે સરકારના એ દાવાઓને પણ નકારી કાઢ્યા જેમાં સરકારે તેઓને સુરક્ષા આપવાની વાત કરી છે. તેમનું કહેવું છે કે તેમની સામે માર્યા ગયેલા કાશ્મીરી પંડિતની તસવીર તેમના મગજમાંથી જતી નથી. લગભગ 8 પરિવાર જમ્મુ આવી ગયા છે.

હજુ સુધી નથી પકડાયા હત્યારા

પૂરણ કૃષ્ણ ભટના ભાઈ, તેની પત્ની અને તેની બહેને સરકારને વહેલી તકે હત્યારાઓને પકડવાની અપીલ કરી છે. તેઓએ કહ્યું કે અત્યાર સુધી પોલીસ તેને પકડવામાં નિષ્ફળ રહી છે. આ દરમિયાન તેમણે સરકારને અપીલ કરી છે કે તેમના પરિવારની સાથે નાના બાળકો પણ છે જેઓ ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમણે સરકારને કહ્યું છે કે તેમના બાળકો અને તેમના માટે સરકારે કોઈ પગલું ભરવું જોઈએ. કારણ કે તેમની પાસે પાછા ફરવાનો કોઈ વિકલ્પ નથી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

શું હતો મામલો

15 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. દક્ષિણ કાશ્મીર જિલ્લાના ચૌધરી ગુંડ વિસ્તારમાં પૂરણ કૃષ્ણ ભટ પર તેમના ઘર નજીક હુમલો કરવામાં આવ્યો હતો, એમ તેઓએ જણાવ્યું હતું.

ઘાયલ ભટ્ટને સારવાર માટે શોપિયાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું.

કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર લખ્યું, આતંકવાદીઓએ પૂરણ કૃષ્ણ ભટ, લઘુમતી નાગરિક પર ગોળીબાર કર્યો, જ્યારે તેઓ ચૌધરી ગુંડ શોપિયાંમાં બાગ તરફ જઈ રહ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાઅ હતા, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સહિત રાજકીય પક્ષોએ હત્યાની નિંદા કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">