Jammu-Kashmir: દક્ષિણ કાશ્મીરના 2 વિસ્તારોમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં 4 આતંકવાદીઓ ઠાર મરાયા, એન્કાઉન્ટર હજુ યથાવત
બુધવારે સાંજે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના બે વિસ્તારોમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ હતી.
બુધવારે સાંજે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના બે વિસ્તારોમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ હતી. અહીંના પોમ્બે અને ગોપાલપોરા ગામમાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા હતા, ત્યારબાદ ફાયરિંગ શરૂ થયું હતું. સેનાની જવાબી કાર્યવાહીમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટર હજુ ચાલુ છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના કુલગામના પોમ્બે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની ચોક્કસ માહિતીના આધારે સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. અધિકારીએ કહ્યું કે ફાયરિંગ ચાલુ છે.
તે જ સમયે, પુલવામા પોલીસ અને સુરક્ષા દળોએ આજે મોટી દુર્ઘટના ટળી છે. લશ્કરના 2 આતંકવાદી સહયોગીઓ અમીર બશીર અને મુખ્તાર ભટની પુલવામા પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત નાકા તપાસ દરમિયાન ધરપકડ કરી હતી. તેમની પાસેથી આઈઈડી મળી આવ્યો છે.
Four militants killed In Pombai and Gopalpora villages of Kulgam district. At both these places, encounters are going on: IGP Kashmir Vijay Kumar pic.twitter.com/fGCobyETTq
— ANI (@ANI) November 17, 2021
ગ્રેનેડ અને દારૂગોળા સાથે બે આતંકવાદીઓને ઝડપી પાડ્યા
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મંગળવારે મોટી સફળતા મળી હતી. હકીકતમાં સોપોરમાં પોલીસ, સેના અને સીઆરપીએફએ સંયુક્ત રીતે નાકાબંધી કરી હતી. અને દરેક પસાર થનાર પર નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન બે લોકો પર શંકા જતા તેઓની તલાશી લેવામાં આવી હતી. આ દરમિયાન તેમની પાસેથી હેન્ડ ગ્રેનેડ અને વાંધાજનક સામગ્રી મળી આવી હતી. સુરક્ષા દળોએ બંને શકમંદોની ધરપકડ કરી લીધી હતી.
જમ્મુ-કાશ્મીર પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેઓ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંબંધ ધરાવે છે. આ સાથે જ બંને શકમંદો ગ્રેનેડ ફેંકવાના ઈરાદે કુપવાડામાં અજાણ્યા સ્થળે જઈ રહ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી આતંકવાદીઓ ઘાટીમાં આતંક ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સુરક્ષા દળો તેમના દરેક પ્રયાસને પૂર્ણ થવા દેતા નથી. જો કે, આ દરમિયાન આતંકવાદીઓએ ઘણા ગ્રેનેડ હુમલા કર્યા છે અને તેમને નિશાન બનાવીને ઘણા નિર્દોષ લોકોની હત્યા કરી છે.
આ પણ વાંચો: NFL Recruitment 2021: નેશનલ ફર્ટિલાઇઝર્સમાં ભરતી માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી