Jammu Kashmir: બારામુલ્લામાં ADP પર આતંકવાદીઓનું ફાયરિંગ, પરપ્રાંતિયની હત્યામાં સંડોવાયેલો એક આતંકવાદી ઠાર
કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું કે, માર્યો ગયેલા આતંકવાદીની ઓળખ કુલગામ જિલ્લાના જાવેદ અહ વાની તરીકે થઈ છે
બારામુલ્લાના ચેરદારીમાં આતંકીઓએ સેના અને પોલીસના ADP ઉપર ગોળીબાર કર્યો હતો. એલર્ટ સુરક્ષા ટીમોએ જવાબી કાર્યવાહી કરતા 1 આતંકી માર્યો ગયો હતો. કાશ્મીર ઝોન પોલીસે માહિતી આપતા જણાવ્યુ છે કે, આ અંગે તપાસ ચાલી રહી છે. મૃત આતંકવાદી પાસેથી 1 પિસ્તોલ, 1 લોડેડ મેગેઝિન અને 1 પાક ગ્રેનેડ મળી આવ્યો છે. કાશ્મીર ઝોન પોલીસે આ માહિતી આપી છે.
આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે, માર્યો ગયેલા આતંકવાદીની ઓળખ કુલગામ જિલ્લાના જાવેદ અહ વાની તરીકે થઈ છે અને વાનપોહમાં બિહારના 2 મજૂરોની હત્યામાં આતંકવાદી ગુલઝારે ( જે 20 ઓક્ટોબરે માર્યો ગયો હતો) મદદ કરી છે. તે બારામુલ્લામાં એક દુકાનદારને નિશાન બનાવવાના મિશન પર હતો.
Killed terrorist is hybrid type, identified as Javed Ah Wani of Kulgam district and he has assisted terrorist Gulzar (who was killed on 20th Oct) in killing of 2 labourers from Bihar in Wanpoh. He was on mission to target one shopkeeper in Baramulla: IGP Kashmir Vijay Kumar pic.twitter.com/gvx7c26C2r
— ANI (@ANI) October 28, 2021
જમ્મુ-કાશ્મીરના 7 જિલ્લામાં 17 સ્થળોએ સર્ચ કરાયુ. અગાઉ, NIAએ બુધવારે જમાત-એ-ઈસ્લામીના આતંકવાદને નાણાં પૂરા પાડવાના સંબંધમાં જમ્મુ અને કાશ્મીરના 7 જિલ્લાઓમાં 17 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. એજન્સીના એક અધિકારીએ આ જાણકારી આપી. એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કાશ્મીરના અનંતનાગ, કુલગામ, ગાંદરબલ, બાંદીપોરા અને બડગામ જિલ્લાઓ અને જમ્મુના કિશ્તવાડ અને જમ્મુ જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, “આજની શોધખોળમાં જમાત-એ-ઈસ્લામીના હોદ્દેદારો અને સભ્યોના પરિસરનો સમાવેશ થાય છે અને શંકાસ્પદના પરિસરમાંથી અનેક કાર્યવાહી કરી શકાય તેવા દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા.” અગાઉ NIAએ 8 અને 9 ઓગસ્ટે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કાશ્મીરના 10 જિલ્લા અને જમ્મુના ચાર જિલ્લામાં 61 સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રએ ફેબ્રુઆરી 2019 માં આતંકવાદ વિરોધી કાયદા હેઠળ જમાત પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાદ્યો હતો કારણ કે તે આતંકવાદી સંગઠનો સાથે ગાઢ સંપર્કમાં હતી અને અગાઉના રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદી ચળવળમાં વધારો થવાનો ભય હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ગૃહ મંત્રાલયે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ જૂથ પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. 17 ઓક્ટોબરે કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા બિહારના બે મજૂરોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ આ મહિને જમ્મુ-કાશ્મીરમાં લક્ષ્યાંકિત હુમલામાં માર્યા ગયેલા નાગરિકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. 24 કલાકથી ઓછા સમયમાં બિન-સ્થાનિક મજૂરો પર આ ત્રીજો હુમલો હતો.
આ પણ વાંચોઃ T20 World Cup: ટીમ ઇન્ડીયા પર ટૂર્નામેન્ટથી બહાર થવાનુ તોળાતુ સંકટ, આ 4 બાબતો છે મુખ્ય કારણ