જમ્મુ-કાશ્મીર એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ આતંકીઓની ઓળખ થઈ, ફિદાયીન હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો આતંકી રિયાઝ
જમ્મુ-કાશ્મીરમાં આ મહિનામાં પહેલીવાર સુરક્ષાદળોને ગુરુવારે બે આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. અગાઉ ગયા મહિને ઓક્ટોબરમાં સુરક્ષા દળોએ વિવિધ આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં 20 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જવાનોએ 24 કલાકમાં 3 આતંકીઓને ઠાર કર્યા છે. કુલગામ વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ (Terrorists) માર્યા ગયા છે. આતંકીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે. તેમની પાસેથી ઘણી વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
કુલગામ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા એક આતંકીની ઓળખ એચએમ શિરાઝ મોલવી અને યાવર ભટ તરીકે થઈ છે. શિરાઝ 2016 થી સક્રિય હતો અને નિર્દોષ યુવાનોને આતંકવાદી રેન્કમાં ભરતી કરવામાં અને અનેક નાગરિકોની હત્યામાં સામેલ હતો. આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું છે કે અન્ય આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
આતંકી સંગઠન મુજાહિદ્દીન ગજવતુલ હિંદનો સભ્ય હતો અગાઉ શ્રીનગર એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ થઈ ગઈ છે. આતંકીનું નામ અમીર રિયાઝ હતું. જે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન મુજાહિદ્દીન ગજવતુલ હિંદનો સભ્ય હતો. આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે આતંકી અમીર રિયાઝ લેથપોરા આતંકી હુમલાના એક આરોપીનો સંબંધી હતો. તેને આતંકવાદી સંગઠન મુજાહિદ્દીન ગજવતુલ હિંદ દ્વારા ફિદાયીન હુમલાને અંજામ આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
Terrorist killed in Srinagar encounter identified as Aamir Riyaz of Khrew,Pulwama affiliated with proscribed terror outfit Mujahideen Gazwatul Hind. He was relative of an of the accused of Lethpora terror attack & was assigned to carry out fidayeen attack: IGP Kashmir Vijay Kumar pic.twitter.com/VtjDhpiQxp
— ANI (@ANI) November 12, 2021
આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની તક પણ આપવામાં આવી હતી કુલગામમાં, સુરક્ષા દળોએ ગુરુવારે આતંકવાદીઓ સામે એન્કાઉન્ટર શરૂ કરતા પહેલા વિસ્તારમાં ફસાયેલા કેટલાક સ્થાનિક પરિવારોને સલામત સ્થળે ખસેડ્યા હતા. પોલીસે કહ્યું કે નાગરિકોને સલામત સ્થળે લઈ ગયા બાદ પણ આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની બીજી તક આપવામાં આવી હતી, પરંતુ તેઓ રાજી ન થયા. આ પછી આતંકવાદી માર્યો ગયો. નવેમ્બરમાં પહેલીવાર બે આતંકવાદીઓ માર્યા ગયા.
જમ્મુ-કાશ્મીરમાં આ મહિનામાં પહેલીવાર સુરક્ષાદળોને ગુરુવારે બે આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. અગાઉ ગયા મહિને ઓક્ટોબરમાં સુરક્ષા દળોએ વિવિધ આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં 20 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ દરમિયાન સેનાના 12 જવાનો શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરને હચમચાવી નાખવાના ઈરાદાથી આતંકવાદીઓની ઘૂસણખોરી સતત થઈ રહી છે.
આ પણ વાંચો : શાળાઓમાં આજથી શરૂ થશે નેશનલ અચીવમેન્ટ સર્વે, આ રીતે કરવામાં આવશે મુલ્યાંકન
આ પણ વાંચો : Corona Vaccine: Covaxin કોરોના સામે છે આટલી અસરકારક, અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો