પુલવામા હુમલા મામલે NIAને મળી મોટી સફળતા, આતંકીઓની મદદ કરનાર શાકિર બશીરની ધરપકડ
પુલવામામાં CRPFની બસ પર થયેલા હુમલા મામલે NIAને મોટી સફળતા મળી છે. આ મામલે NIAએ ગુરૂવારે શાકિર બશીર માગરે નામના એક ઓવર ગ્રાઉન્ડ વર્કર (OGW)ની ધરપકડ કરી છે. શાકિર બશીરે પુલવામા હુમલા પહેલા સુસાઈડ બોમ્બર આદિલ અહમદ ડારને શરણ આપી અને લોજિસ્ટિક સહિત ઘણી બીજી મદદ કરી હતી. Web Stories View more 30 લાખની હોમ […]
પુલવામામાં CRPFની બસ પર થયેલા હુમલા મામલે NIAને મોટી સફળતા મળી છે. આ મામલે NIAએ ગુરૂવારે શાકિર બશીર માગરે નામના એક ઓવર ગ્રાઉન્ડ વર્કર (OGW)ની ધરપકડ કરી છે. શાકિર બશીરે પુલવામા હુમલા પહેલા સુસાઈડ બોમ્બર આદિલ અહમદ ડારને શરણ આપી અને લોજિસ્ટિક સહિત ઘણી બીજી મદદ કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મળતી માહિતી મુજબ NIAએ જૈશ-એ-મોહમ્મદના એક ઓવર ગ્રાઉન્ડ વર્કર (OGW)ની ધરપકડ કરી છે. તેની ઓળખ શાકિર બશીર તરીકે થઈ છે. શાકિર પુલવામાના કાકાપોરાનો રહેવાસી છે અને ફર્નીચરની દુકાન ચલાવે છે. શરૂઆતની તપાસમાં ખુલાસો થયો કે પુલવામા હુમલામાં સામેલ જૈશના આતંકવાદીઓને હથિયાર, ગોળા-બારૂદ અને વિસ્ફોટક ભેગો કરી તેમના સુધી પહોંચાડ્યો હતો.
OGW શાકિર બશીર માગરેને જમ્મૂમાં NIAની વિશેષ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો અને તેની પૂછતાછ માટે 15 દિવસ માટે NIAની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પુલવામામાં 14 ફેબુઆરી 2019ના રોજ જમ્મૂથી શ્રીનગર તરફ જઈ રહેલા CRPFના કાફલામાં જૈશ આતંકી આદિલ અહમદ ડાર IEDથી ભરેલી કાર લઈ ઘુસી ગયો હતો. આ હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા અને અન્ય ઘણા જવાન ઘાયલ થયા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં પદાધિકારીઓની બેઠકમાં અર્જુન મોઢવાડિયાની ગેરહાજરી
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]