જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો દૂર થયા બાદ સૌપ્રથમ આ સિનિયર IAS અધિકારીને મળી નાગરિકતા
જમ્મુ કાશ્મીર કેડરના 1994ની બેચના સિનિયર આઈએએસ અધિકારી નવીન કુમાર ચૌધરી પહેલાં એવા અધિકારી બની ગયા છે જેમને જમ્મુ કાશ્મીરની નાગરિકતા આપવામાં આવી હોય. બિહારના રહેવાસી નવીન કુમારે જમ્મુ કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો આપતી કલમ 370 અને 35A દૂર થયા બાદ અરજી કરી હતી. આ અરજીના સંદર્ભે કાર્યવાહી કરીને ઓથોરીટી દ્વારા 24 જૂનના રોજ તેમને જમ્મુ […]
જમ્મુ કાશ્મીર કેડરના 1994ની બેચના સિનિયર આઈએએસ અધિકારી નવીન કુમાર ચૌધરી પહેલાં એવા અધિકારી બની ગયા છે જેમને જમ્મુ કાશ્મીરની નાગરિકતા આપવામાં આવી હોય. બિહારના રહેવાસી નવીન કુમારે જમ્મુ કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો આપતી કલમ 370 અને 35A દૂર થયા બાદ અરજી કરી હતી. આ અરજીના સંદર્ભે કાર્યવાહી કરીને ઓથોરીટી દ્વારા 24 જૂનના રોજ તેમને જમ્મુ કાશ્મીરની નાગરિકતા આપવામા આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઉલ્લેખનીય છે કે પહેલાં જમ્મુ કાશ્મીરમાં સ્થાયી નિવાસી હોય તેમને જ નાગરિકતા આપવામાં આવતી હતી. જો કે 18મે, 2020 યૂનિયન ટેરિટરી ડોમિસાઈલ કાયદા અનુસાર રાજ્યમાં 15 વર્ષ કે તેથી વધારે વસવાટ કર્યો હોય એવા તમામ લોકોને જમ્મુ કાશ્મીરની નાગરિકતા મળી શકે છે. આમ નવા નિયમ મુજબ અન્ય ભારતીય લોકો પણ જમ્મુ કાશ્મીરની નાગરિકતા મેળવી શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પહેલાં એવું થતું હતું કે જમ્મુ કાશ્મીરની કોઈ યુવતી અન્ય રાજ્યના યુવાન સાથે લગ્ન કરે તો તે યુવતીની જમ્મુ કાશ્મીરીની નાગરિકતા ખતમ થઈ જતી હતી. જો કે હવે નવા નિયમ મુજબ યુવતી અને તેમના બાળકોને પણ જમ્મુ કાશ્મીરના નાગરિકતા મેળવવાનો અધિકાર છે. આમ જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રશાસને નાગરિકતા આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]