જગદગુરુ પરમહંસ આચાર્યને તાજમહેલમાં પ્રવેશતા અટકાવ્યા, ભગવા કપડાને કારણે પરત ફરવુ પડ્યુ

જગદગુરુ પરમહંસચાર્યને આગરાના તાજમહેલમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે ભગવા કપડા પહેર્યા હતા અને તેના હાથમાં બ્રહ્મા દંડ હતું, જેના કારણે તેમને પ્રવેસ આપવામાં ન આવ્યા હોવાનું કારણ દર્શાવ્યુ છે. જગદગુરુ પરમહંસચાર્ય અયોધ્યાથી આગ્રા આવ્યા છે.

જગદગુરુ પરમહંસ આચાર્યને તાજમહેલમાં પ્રવેશતા અટકાવ્યા, ભગવા કપડાને કારણે પરત ફરવુ પડ્યુ
Jagadguru Paramhans Acharya (File image)
Follow Us:
| Updated on: Apr 27, 2022 | 11:36 AM

જગદગુરુ પરમહંસ આચાર્યને આગરાના તાજમહેલ (Taj Mahal)માં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે ભગવા કપડા (Saffron clothes )પહેર્યા હતા અને તેના હાથમાં બ્રહ્મ દંડ હતો, જેના કારણે પ્રવેશ આપવામાં ન આવ્યા હોવાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે.

જગદગુરુ પરમહંસચાર્ય અયોધ્યાથી આગ્રા આવ્યા છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હકીકતમાં પરમહંસ આચાર્ય વિશ્વની સાત અજાયબીઓમાંની એક તાજમહેલની મુલાકાત લેવા માટે અયોધ્યાથી આગ્રા આવ્યા હતા, જેને પ્રેમની નિશાની કહેવામાં આવે છે. તેમના શિષ્ય પાસે આગ્રા જવાની ટિકિટ પણ હતી. પરંતુ આગ્રા તાજમહેલમાં હાજર CISF જવાનોએ પરમહંસ આચાર્યને તાજમહેલમાં પ્રવેશતા અટકાવ્યા હતા. આ પછી પરમહંસ આચાર્યએ સ્થળ પર હાજર લોકોને આશીર્વાદ આપ્યા અને પરત ફર્યા.

શું કહ્યું પુરાતત્વ વિભાગના અધિકારીઓએ…

તાજમહેલની જાળવણીની જવાબદારી સંભાળી રહેલા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ના અધિક્ષક પુરાતત્વવિદ્ રાજકુમાર પટેલ આ સમગ્ર મામલાની તપાસની વાત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે પ્રારંભિક માહિતી મળી છે કે સંત દંડ લઈને આવ્યા હતા, જેના કારણે તેમને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી. તેને દંડ પ્રવેશદ્વાર પર રાખવા અને અંદર જવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે તેના માટે સંમત ન થયા ન હતા. તેઓને ભગવા કપડા માટે રોકાયા ન હતા. તે જ સમયે, સંત પરમહંસ કહે છે કે ધર્મ દંડ લોખંડ માંથી નથી બનાવામાં આવ્યો, તે વાંસ અને ખાસ લાકડામાંથી બનેલો છે અને મંત્રો દ્વારા આહવાન બનાવામાં આવ્યો છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

કોણ છે પરમહંસ આચાર્ય, હિન્દુ રાષ્ટ્રની માંગ

જગદગુરુ પરમહંસચાર્ય અગાઉ ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગ કરી હતી. એટલું જ નહીં, તેમણે સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું કે જો ભારત સરકાર 2 ઓક્ટોબર સુધીમાં હિન્દુ રાષ્ટ્ર જાહેર નહીં કરે તો તેઓ જળ સમાધિ લેશે. જોકે, તે જળ સમાધિ લે તે પહેલા જ તેની ધરપકડ કરવામાં આવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">