જરૂરી નથી દરેક કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટ જ કરે, Agnipath Case પર જસ્ટિસ ચંદ્રચૂડની ટકોર

સુપ્રીમ કોર્ટે (Suprim Court) અગ્નિપથ યોજનાને લગતા દેશભરના પેન્ડિંગ કેસોને દિલ્હી હાઈકોર્ટમાં એક સાથે સુનાવણી માટે ટ્રાન્સફર કરી દીધા છે. અગ્નિપથ યોજના સામેની તમામ અરજીઓ પર માત્ર દિલ્હી હાઈકોર્ટ જ સુનાવણી કરશે

જરૂરી નથી દરેક કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટ જ કરે, Agnipath Case પર જસ્ટિસ ચંદ્રચૂડની ટકોર
સુપ્રીમ કોર્ટImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 3:28 PM

સુપ્રીમ કોર્ટ (Suprim Court) માં મંગળવારે કેન્દ્ર સરકાર દ્વારા જૂનમાં લાવવામાં આવેલી અગ્નિપથ યોજના (Agnipath Scheme) ને લઈને કેસની સુનાવણી કરવામાં આવી. જેમા સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અગ્નિપથ યોજના વિરુદ્ધ અનેક હાઈકોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે. તેમાંથી એક દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) પણ છે. મહેતાએ કહ્યું કે હું વિનંતી કરું છું કે તમામ અરજીઓની સુનાવણી દિલ્હી અથવા અન્ય હાઈકોર્ટમાં એકસાથે થવી જોઈએ. તેના પર જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે તમે ટ્રાન્સફર પિટિશન દાખલ કરો. અમે તમામ અરજીઓને હાઈકોર્ટમાં સુનાવણી માટે મોકલી આપશું. અરજદાર એમ.એલ.શર્માએ કહ્યું કે, કોર્ટ અહીં જ અમને સાંભળી લે.

સર્વોચ્ચ અદાલતની બેન્ચે કહ્યું કે જે લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમને સાંભળ્યા બાદ જ કેસ ટ્રાન્સફર કરીશું. હવે સુપ્રીમ કોર્ટ અગ્નિપથ યોજનાને સંબંધિત દેશભરના તમામ પેન્ડિંગ કેસોને એકસાથે સુનાવણી માટે દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરશે. આના પર, એક અરજદાર વતી એડવોકેટ કુમુદે, શુક્રવાર સુધીમાં કેસ ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. દેશમાં દિલ્હી, કેરળ, પટના, પંજાબ-હરિયાણા, ઉત્તરાખંડ, કોચીના ટ્રિબ્યુનલમાં અગ્નિપથ યોજના સામેના કેસ પેન્ડિંગ છે.

દિલ્હી હાઈકોર્ટમાં થશે તમામ કેસની સુનાવણી

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં પહેલાથી જ અરજીઓ પેન્ડિંગ છે. આ સ્થિતિમાં તમામ અરજીઓ પર ત્યાં સુનાવણી થશે. કોર્ટે તેની પાસે પેન્ડિંગ પડેલી ત્રણ અરજીઓને પણ સુનાવણી માટે દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી છે. અગ્નિપથ યોજના સામેની તમામ અરજીઓ પર માત્ર દિલ્હી હાઈકોર્ટ જ સુનાવણી કરશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે આ અરજી દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. હાઈકોર્ટમાં પહેલા સુનાવણી થવા દો, જેથી અમારી પાસે હાઈકોર્ટનો નિર્ણય પણ રહેશે. જસ્ટિસે કહ્યું કે તમે પિટિશનને હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી શકો છો અથવા હાઈકોર્ટમાં નવી પિટિશન દાખલ કરી શકો છો. જેના પર અરજદાર શેખાવતે કહ્યું કે વિવિધ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. બીજી તરફ સોલિસિટર જનરલે કહ્યું કે અત્યાર સુધી કોઈ હાઈકોર્ટે આદેશ આપ્યો નથી. તેના પર જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે જરૂરી નથી કે દરેક કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટ જ કરે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેરળ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણા, પટના અને ઉત્તરાખંડમાં પણ અરજીઓ છે, આથી એ નિર્દેશ આપવો યોગ્ય રહેશે કે આ આદેશની નકલ દરેક હાઈકોર્ટમાં મુકવામાં આવે. હાઈકોર્ટ અરજદારોને તેમની અરજીઓને દિલ્હીમાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ આપશે અથવા હાઈકોર્ટ અરજીઓને પેન્ડિંગ રાખશે અને અરજીકર્તાને દિલ્હી હાઈકોર્ટમાં કેસ ટ્રાન્સફર કરવાની અને આ પ્રકારની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવાની પણ સ્વતંત્રતા રહેશે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">