લખનૌમાં રાજ્યપાલ આનંદીબેન પટેલની પ્રેરણાથી આ કંપનીએ 5 તબીબી સંસ્થાઓને આપ્યા 30 વેન્ટિલેટર
રાજ્યપાલ આનંદીબેન પટેલની પ્રેરણાથી સોમવારે ઓનલાઈન માર્કેટિંગ કંપની વતી લખનૌની 5 તબીબી સંસ્થાઓને 30 વેન્ટિલેટર ઉપલબ્ધ કરાયા હતા.
આનંદીબેન પટેલ અત્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે કાર્યરત છે. ત્યાં તેમણે ખુબ જ સરાહનીય પગલું ભર્યું હતું. આનંદીબેન પટેલની પ્રેરણાથી ફ્લિપકાર્ટ કંપની દ્વારા ઉત્તર પ્રદેશ મેડિકલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કંચન વર્મા થકી લખનૌમાં 5 તબીબી સંસ્થાઓને 30 વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પ્રસંગે રાજ્યપાલ આનંદીબેને જણાવ્યું હતું કે કોરોના રોગચાળાના આ સંક્રમણ સમયગાળા દરમિયાન, આ વેન્ટિલેટર દર્દીઓના જીવન બચાવવાનું કામ કરશ.
રાજ્યપાલ આનંદીબેન પટેલની પ્રેરણાથી સોમવારે ઓનલાઈન માર્કેટિંગ કંપની વતી લખનૌની 5 તબીબી સંસ્થાઓને 30 વેન્ટિલેટર ઉપલબ્ધ કરાયા હતા. આ બાબતને લઈને ખુબ પ્રસંસા થઇ રહી છે. કોરોનાના કારણે ઠેર ઠેર ઓક્સિજન અને વેન્ટીલેટરની ખોટ પડી રહી છે. એવા સમયમાં આ ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે.
આ સંસ્થાઓને વેન્ટિલેટર મળશે
વેન્ટિલેટર વિતરણ વિશે માહિતી આપતા કંપનીના મેનેજિંગ ડિરેક્ટરએ જણાવ્યું હતું કે એસજીપીજીઆઈ અને કેજીએમયુને 7-7 વેન્ટિલેટર, આરએમએલ અને કેન્સર ઇન્સ્ટિટ્યૂટ લખનૌને 5-5 વેન્ટિલેટર અને બલરામપુર હોસ્પિટલ લખનૌમાં 6 વેન્ટિલેટર પૂરા પાડવામાં આવ્યા છે.
તે જ સમયે, કંપની વતી રાજ્યપાલ આનંદીબેન પટેલની પ્રેરણાથી જિલ્લામાં 5 મેન્યુઅલ સેનિટરી વેન્ડિંગ મશીનો અને 5 સેનિટરી નેપકિન ડિસ્પોઝલ મશીન અને 200 એનએચ પણ ઉપલબ્ધ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ દેશભરમાં કોરોનાના કારણે લોકો ખુબ હેરાન છે. કોરોનાથી પીડાઈ રહ્યા છે અને હોસ્પિટલો ઉભરાઈ રહી છે. આવામાં વેન્ટીલેટર સહીતના બેડ મળવા ખુબ મુશ્કેલ થઇ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં જ્યારે રાજ્યપાલના માર્ગદર્શનથી ઓનલાઈન માર્કેટ કંપની વેન્ટીલેટર પુરા પાડે છે ત્યારે સમાજ માટે આશાનું કિરણ બંધાય છે.
આ પણ વાંચો: શક્તિ કપૂર કેમ બોલી ઉઠ્યા ‘હવે મોત નજીક આવી રહી છે’, જાણો તેમને કઈ વાતનો છે ડર
આ પણ વાંચો: કોરોનામાં અનાથ થયેલા બાળકો માટે સોનુ સૂદે સરકાર પાસે કરી આ માંગ, પ્રિયંકાએ પણ આપ્યો સાથ