ભારતીયોને આગામી 1 જાન્યુઆરીથી આ દેશમાં નહી મળે વિઝા ફ્રિ એન્ટ્રી, જાણો કેમ ?

ભારતીય દૂતાવાસે જાહેર કરેલ એડવાઈઝરી મુજબ મૂળ ભારતીય હોય પરંતુ વિદેશમાં રહેતા હોય અને ભારતીય પાસપોર્ટ ધરાવતા હોય તેવા નાગરીકે, જે તે રહેઠાણના દેશમાં વિઝા માટે અરજી કરવાની રહેશે.

ભારતીયોને આગામી 1 જાન્યુઆરીથી આ દેશમાં નહી મળે વિઝા ફ્રિ એન્ટ્રી, જાણો કેમ ?
Serbia visa free entry ( file photo)Image Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2022 | 10:35 AM

ગેરકાયદેસર ઘૂષણખોરીને નિયંત્રિત કરવા અને યુરોપિયન વિઝા નીતિનું પાલન કરવા માટે, સર્બિયા સરકારે ભારતીયો માટે વિઝા-મુક્ત મુસાફરીને નાબૂદ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. સર્બિયાના સત્તાવાર નિવેદન અનુસાર, આગામી 1 જાન્યુઆરી, 2023 થી, ભારતીય પાસપોર્ટ ધારકોને હવે માન્ય વિઝા વિના સર્બિયા જવાની સુવિધા રહેશે નહીં. એટલે કે વિઝા વિના સર્બિયામાં પ્રવેશ મળશે નહી.

અગાઉ, રાજદ્વારી અને સત્તાવાર ભારતીય પાસપોર્ટ ધારકોને 90 દિવસ માટે વિઝા વિના દેશની મુલાકાત લેવાની છૂટ આપવામાં આવી હતી. જ્યારે સામાન્ય પાસપોર્ટ ધારક હોય તેવા ભારતીયો માટે આ સમયગાળો 30 દિવસનો હતો. એક નિવેદનમાં, સર્બિયાની સરકારે કહ્યું કે, સર્બિયામાં 30 દિવસ સુધીના રોકાણ માટે તમામ ભારતીય પાસપોર્ટ ધારકો માટે સર્બિયામાં વિઝા-મુક્ત પ્રવેશની હાલની વ્યવસ્થા આગામી 31 ડિસેમ્બર 2022થી પાછી ખેંચી લેવામાં આવી છે.

પાંચ વર્ષથી વ્યવસ્થા હતી

સર્બિયા દ્વારા ભારતીયો માટે સપ્ટેમ્બર 2017માં વિઝા-મુક્ત પ્રવેશની રજૂઆત કરવામાં આવી હતી. સર્બિયા જતા ભારતીયો માટે એક મુશ્કેલી એ હતી કે, વિઝા ફ્રી એન્ટ્રીના આધારે સર્બિયામાં પ્રવેશ મેળવનાર ભારતીયો, સર્બિયાના પડોશી દેશો અને અન્ય યુરોપીયન દેશો સહિત અન્ય દેશોમાં મુસાફરી કરી શકતા નહોતા. સર્બિયા સરકારની જાહેરાત બાદ, બેલગ્રેડમાં ભારતીય દૂતાવાસે, વિઝા નિયમોમાં ફેરફાર વિશે ભારતીય નાગરિકોને જાણ કરતી એક એડવાઈઝરી બહાર પાડી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી

ભારતીય દૂતાવાસે જાહેર કરેલ એડવાઈઝરી મુજબ, આગામી 1 જાન્યુઆરી, 2023 થી, સર્બિયા જનારા તમામ ભારતીય નાગરિકોને રિપબ્લિક ઓફ સર્બિયામાં પ્રવેશવા માટે વિઝાની જરૂર પડશે. સર્બિયામાં 30 દિવસના રોકાણ માટે તમામ ભારતીય પાસપોર્ટ ધારકો માટે સર્બિયામાં વિઝા-મુક્ત પ્રવેશની હાલની વ્યવસ્થા સર્બિયાની સરકારે પાછી ખેંચી લીધી છે.

ભારતીય નાગરિકો, જેઓ 1 જાન્યુઆરી, 2023 ના રોજ અથવા તે પછી સર્બિયાની મુલાકાત લઈ રહ્યા છે, તેમણે નવી દિલ્હીમાં સર્બિયાના દૂતાવાસમાં અથવા તો મૂળ ભારતીય હોય પરંતુ વિદેશમાં રહેતા હોય અને ભારતીય પાસપોર્ટ ધરાવતા હોય તેવા નાગરીકે રહેઠાણના દેશમાં વિઝા માટે અરજી કરવાની રહેશે. એડવાઇઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે માન્ય શેંગેન, યુકે વિઝા, અથવા યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા વિઝા અથવા આ દેશોમાં નિવાસી દરજ્જા ધરાવતા ભારતીયો હજુ પણ 90 દિવસ સુધી સર્બિયામાં પ્રવેશ કરી શકે છે.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">