દિવાળી સુધી 60 ટકા ઉડાન સંભવ, ‘એર બબલ’ માટે 3 દેશો સાથે ચાલી રહી છે વાતચીત: હરદીપસિંહ પુરી
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પૂરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે કોરોના સંકટ પહેલા જેટલી ડોમેસ્ટિક ઉડાનોનું સંચાલન થતું હતું, તેની 55થી 60 ટકા સુધીની ઉડાનો દિવાળી સુધી થવા લાગશે. ઉડ્ડયન મંત્રીએ વધુમાં કહ્યું કે ‘વંદે ભારત મિશન’ હેઠળ અત્યાર સુધી 2,80,000 લોકોને વિદેશમાંથી પરત લાવવામાં આવ્યા છે. જેમાં દુબઈ અને યુએઈમાંથી મોટી સંખ્યામાં ભારતીય પરત […]
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પૂરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે કોરોના સંકટ પહેલા જેટલી ડોમેસ્ટિક ઉડાનોનું સંચાલન થતું હતું, તેની 55થી 60 ટકા સુધીની ઉડાનો દિવાળી સુધી થવા લાગશે. ઉડ્ડયન મંત્રીએ વધુમાં કહ્યું કે ‘વંદે ભારત મિશન’ હેઠળ અત્યાર સુધી 2,80,000 લોકોને વિદેશમાંથી પરત લાવવામાં આવ્યા છે. જેમાં દુબઈ અને યુએઈમાંથી મોટી સંખ્યામાં ભારતીય પરત આવ્યા છે. જ્યારે અમેરિકાથી લગભગ 30 હજાર લોકો પરત આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે ભારત પૂર્વ શરતો હેઠળ ઉડાન સેવાની પરવાનગી આપવા ‘એર બબલ’ વ્યવસ્થાને સ્થાપિત કરવા માટે 3 દેશોની સાથે વાતચીત કરી રહ્યું છે. ઉડ્ડયનની ભાષામાં ‘એર બબલ’ યાત્રા વ્યવસ્થા બે દેશોની વચ્ચે એક ખાસ સુરક્ષા અને મુસાફરોની યાત્રા શરતો હેઠળ સ્થાપિત કરવામાં આવે છે. જેવી કે હાઈ ડિમાન્ડ, લીગલ ENTRY અને EXIT નિયમ અને આ સેક્ટરો પર સંચાલનની એરલાઈનની ઈચ્છા.
ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે ભારતે એર ફ્રાંસને દિલ્હી, બેંગ્લુરૂ અને મુંબઈ માટે 18 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી 28 ઉડાન સંચાલિત કરવાની પરવાનગી આપી છે. જ્યારે અમેરિકા સ્થિત યુનાઈટેડ એરલાઈન્સને 17 જુલાઈથી 31 જુલાઈની વચ્ચે 18 ઉડાન સંચાલિત કરવાની પરવાનગી આપી છે અને લુફ્થાંસાની ઉડાનો માટે જર્મની સાથે વાતચીત ચાલી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]