Indian Army બપોરે 12 વાગ્યે કરી શકે છે મીડિયા સંબોધન, ઉરી ઓપરેશન અને પાકિસ્તાન દ્વારા આતંકી પ્રવૃત્તિઓને લઇને આપી શકે છે માહિતી
Indian Army expected to brief media : ભારતીય સેના આજે બપોરે 12 વાગ્યે મીડિયા સંબોધન કરે તેવી શક્યતા છે. આ વાતચીતનો મુદ્દો ઉરી ઓપરેશન અને પોકિસ્તાન દ્વારા કરવામાં આવતી આતંકવાદી પ્રવૃત્તિઓને લઇને હોય શકે છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો હોવા છતાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન (Pakistan) દ્વારા તાજેતરમાં ઘૂસણખોરીના પ્રયાસોને જોતા ભારતીય સેના (Indian Army) આજે બપોરે 12 વાગ્યે મીડિયાને માહિતી આપશે તેવી અપેક્ષા છે.
તાજેતરનું ઉરી ઓપરેશન (Uri operation) મીડિયા બ્રીફિંગનું મુખ્ય કેન્દ્ર બનવાની અપેક્ષા છે. ભારતીય સેના અને જમ્મુ -કાશ્મીર પોલીસે ગયા અઠવાડિયે નિયંત્રણ રેખા સાથે ઉરી નજીક રામપુર સેક્ટરમાં 3 આતંકવાદીઓનો ખાત્મો કર્યો હતો. ઓપરેશન પછી, સુરક્ષા દળોએ પાંચ AK-47 રાઇફલ્સ, આઠ પિસ્તોલ, 70 હેન્ડ ગ્રેનેડ અને કેટલાક રાઉન્ડ સહિત હથિયારો અને દારૂગોળોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.
શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સના કોર્પ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ડીપી પાંડેએ (Lt General DP Pandey) પત્રકારોને જણાવ્યું હતું કે આ એક આતંકવાદી અને પાકિસ્તાની નાગરિક હતો.
હથલંગા જંગલ, રામપુર સેક્ટરમાં હરકત જોવા મળી હતી. એક સંક્ષિપ્ત ઓપરેશનમાં, 3 આતંકવાદીઓને મારીને તેમના આ પ્રયાસને નાબૂદ કરવામાં આવ્યો હતો. આવો જ એક પ્રયાસ (સપ્ટેમ્બર) 18 ના રોજ કરવામાં આવ્યો હતો. જે પણ ભારતીય સેના દ્વારા નાકામ કરવામાં આવ્યો હતો. અમે એલઓસી પર પૂરતા દળો સાથે તૈનાત છીએ અને અમે સુનિશ્ચિત કરીશું કે તમામ બિડ નાબૂદ થાય, ”તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય સેનાનું ઘૂસણખોરી વિરોધી દળ ખૂબ જ મજબૂત છે.
આ પણ વાંચો –
MI vs PBKS, LIVE Streaming: મુંબઇ ઇન્ડીયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકો છો મેચ
આ પણ વાંચો –
‘ઝલક દિખલા જા’ શો હોસ્ટ કરવા ગયો હતો Kapil Sharma, વજન ઉતારવાની મળી ગઇ સલાહ અને આ રીતે શરૂ થયો The Kapil Sharma Show
આ પણ વાંચો –