રાફેલ ફાઈટર એરક્રાફ્ટના કાફલાને અપગ્રેડ કરવાની તૈયારીમાં ભારતીય વાયુસેના, જાન્યુઆરી 2022માં શરૂ કરવાનું આયોજન

એકવાર ઉન્નતીકરણને ભારતીય વાયુસેના દ્વારા મંજૂર કરવામાં આવ્યા પછી ફાઈટરને વધુ સક્ષમ બનાવવા માટે આગામી જાન્યુઆરીથી અપગ્રેડ કરવાનું શરૂ કરવાની યોજના છે. ભારતના વિશિષ્ટ ઉન્નતીકરણોમાં ભારતીય જરૂરિયાતો અનુસાર અત્યંત સક્ષમ મિસાઈલો, લો બેન્ડ જામર અને સેટેલાઈટ કોમ્યુનિકેશન સિસ્ટમનું એકીકરણ સામેલ હશે.

રાફેલ ફાઈટર એરક્રાફ્ટના કાફલાને અપગ્રેડ કરવાની તૈયારીમાં ભારતીય વાયુસેના, જાન્યુઆરી 2022માં શરૂ કરવાનું આયોજન
Rafale Fighter Aircraft (File Pic)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 5:57 PM

ભારત (India)ને અત્યાર સુધીમાં ફ્રાન્સ (France)પાસેથી 30 રાફેલ ફાઈટર એરક્રાફ્ટ (Rafale Fighter Aircraft) મળ્યા છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય વાયુસેના (Indian Air Force) ટૂંક સમયમાં તેના રાફેલ ફાઈટર એરક્રાફ્ટના કાફલાને અપગ્રેડ કરવાનું શરૂ કરશે. સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે ભારતીય વાયુસેનાની એક ઉચ્ચ સ્તરીય ટીમ હાલમાં ફ્રાન્સમાં છે, જે RB-008 એરક્રાફ્ટનું પ્રદર્શન જોવા માટે એસ્ટ્રેસ એરબેઝ પહોંચી છે. આ એરક્રાફ્ટ ભારત-વિશિષ્ટ ઉન્નતીકરણોથી સજ્જ છે.

એકવાર ઉન્નતીકરણને ભારતીય વાયુસેના દ્વારા મંજૂર કરવામાં આવ્યા પછી ફાઈટરને વધુ સક્ષમ બનાવવા માટે આગામી જાન્યુઆરીથી અપગ્રેડ કરવાનું શરૂ કરવાની યોજના છે. ભારતના વિશિષ્ટ ઉન્નતીકરણોમાં ભારતીય જરૂરિયાતો અનુસાર અત્યંત સક્ષમ મિસાઈલો, લો બેન્ડ જામર અને સેટેલાઈટ કોમ્યુનિકેશન સિસ્ટમનું એકીકરણ સામેલ હશે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

વધુ ત્રણ એરક્રાફ્ટ 7-8 ડિસેમ્બર સુધીમાં ભારત પહોંચશે

ભારતને 30 રાફેલ ફાઈટર જેટ (Rafael fighter jet) મળી ચૂક્યા છે અને 3 વધુ એરક્રાફ્ટ 7-8 ડિસેમ્બરે ભારત પહોંચશે. એરફોર્સના સૂત્રોએ જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટ શેડ્યૂલ મુજબ કિટ ફ્રાન્સથી ભારતમાં લાવવામાં આવશે અને દર મહિને ત્રણથી ચાર ભારતીય રાફેલને ISE ધોરણો પર અપગ્રેડ કરવામાં આવશે.

ફ્રાન્સથી ભારતમાં આવનાર છેલ્લું એરક્રાફ્ટ RB-008 હશે, જેનું નામ (નિવૃત્ત) એરફોર્સના ભૂતપૂર્વ ચીફ એર ચીફ માર્શલ આર.કે.એસ ભદૌરિયા  (Former Chief Air Chief Marshal RKS Bhadauria)ના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે ડેપ્યુટી ચીફ તરીકે કરાર પર હસ્તાક્ષર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

અંબાલા એરફોર્સ સ્ટેશન પર એરક્રાફ્ટને અપગ્રેડ કરવામાં આવશે

આ એરક્રાફ્ટને અંબાલા એરફોર્સ સ્ટેશન પર અપગ્રેડ કરવામાં આવશે, જે દેશમાં એરક્રાફ્ટનો પ્રથમ બેઝ છે. તે જ સમયે ભારતીય વાયુસેનાએ ફ્રાંસમાં તેના કર્મચારીઓને તાલીમ આપ્યા પછી દેશમાં એરક્રાફ્ટ પર તેના પાઇલટ્સને તાલીમ આપવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો: UAE ની એક એવી ભારતીય સ્કૂલ જેના અભ્યાસક્રમમાં કૃષિ વિશે ભણાવામાં આવે છે, બાળકો કરે છે 24 પ્રકારના શાકભાજીની ખેતી

આ પણ વાંચો: IFFCOએ શેવાળમાંથી તૈયાર કર્યું આ જૈવિક ખાતર, પાક ઉત્પાદનની સાથે જમીનની ગુણવત્તામાં પણ કરે છે વધારો

આ પણ વાંચો: કેવી રીતે એક નાનો અણુ એક કોષને મોટા વૃક્ષમાં ફેરવે છે ? વૈજ્ઞાનિકોએ ઉકેલ્યું છોડની વૃદ્ધિનું 50 વર્ષ જૂનું રહસ્ય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">