ભારત 2030 સુધી મહાશક્તિ જ નહી વિશ્વ ગુરૂ બનશે: રાજનાથ સિંહ
જે ભારતને છેડશે ભારત તેને છોડશે નહી. કોંગ્રેસના શાસનમાં આપણો દેશ વિશ્વમાં 9માં નંબરે હતો. ભાજપ સરકાર ભારતને છઠ્ઠા નંબરે લાવ્યું. 2030 સુધી રશિયા, ચીન અને અમેરિકાને પાછળ છોડીને અમે ભારતને મહાશક્તિ જ નહી વિશ્વ ગુરૂ બનાવીશું. આ વાત ગૃહમંત્રી રાજનાથ સિંહે એક ચૂંટણી સભામાં સંબોધન કરતા કહી હતી. તેમને માયવતી, અખિલેશ અને અજીતસિંહના ગઠબંધન […]
જે ભારતને છેડશે ભારત તેને છોડશે નહી. કોંગ્રેસના શાસનમાં આપણો દેશ વિશ્વમાં 9માં નંબરે હતો. ભાજપ સરકાર ભારતને છઠ્ઠા નંબરે લાવ્યું.
2030 સુધી રશિયા, ચીન અને અમેરિકાને પાછળ છોડીને અમે ભારતને મહાશક્તિ જ નહી વિશ્વ ગુરૂ બનાવીશું. આ વાત ગૃહમંત્રી રાજનાથ સિંહે એક ચૂંટણી સભામાં સંબોધન કરતા કહી હતી. તેમને માયવતી, અખિલેશ અને અજીતસિંહના ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે આ ગઠબંધન એક ઈમાનદાર વડાપ્રધાનને હરાવવા માટે બનાવવામાં આવ્યુ છે.
તેમને કહ્યું કે મોદી સરકારના 5 વર્ષમાં દેશની વૈજ્ઞાનિક ક્ષમતા અને સૈન્ય ક્ષેત્રમાં તાકાત વધી છે. પુલવામામાં આતંકવાદીઓએ આપણાં 42 જવાનોને શહીદ કર્યા હતા. આપણી સેનાએ પાકિસ્તાનની ધરતીમાં ઘુસીને ઘણાં આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
ખેડૂત, મજુર વર્ગ, અને વેપારીઓના હિતમાં કામ કરવાવાળા વડાપ્રધાન વધારે બહુમતીથી ફરી વાર વડાપ્રધાન બનશે. ગૃહમંત્રીએ હાજર રહેલા લોકોને અનુરાગ શર્માને મત આપીને વિજય બનાવવાની અપીલ કરી હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]