2025 સુધીમાં ભારત ટીબીથી મુક્ત થશે, લાખો દર્દીઓને ‘નિ-ક્ષય મિત્ર યોજના’નો લાભ મળશે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) કહ્યું કે, આ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 9.57 લાખ દર્દીઓને મદદ કરવા લોકો આગળ આવ્યા છે. 'નિ-ક્ષય મિત્ર' પ્રોગ્રામ હેઠળ, કોઈપણ વ્યક્તિ, એનજીઓ અથવા બિન-સરકારી સંસ્થા ટીબીના દર્દીઓને દત્તક લઈ શકે છે.
દેશને ટીબી (TB) રોગથી મુક્ત કરવા માટે કેન્દ્ર સરકારે ‘પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત’ અભિયાન શરૂ કર્યું છે. તેનું લક્ષ્ય ભારતને 2025 સુધીમાં સંપૂર્ણપણે ટીબી મુક્ત બનાવવાનું છે. આ અંતર્ગત સરકારે ‘નિ-ક્ષય મિત્ર’ યોજના શરૂ કરી છે. આ અભિયાનને લોકોનું ઘણું સમર્થન મળી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) કહ્યું કે, આ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 9.57 લાખ દર્દીઓને મદદ કરવા લોકો આગળ આવ્યા છે.
‘નિ-ક્ષય મિત્ર’ પ્રોગ્રામ હેઠળ, કોઈપણ વ્યક્તિ, એનજીઓ અથવા બિન-સરકારી સંસ્થા ટીબીના દર્દીઓને દત્તક લઈ શકે છે. દત્તક લીધા બાદ તે દર્દીઓને પોષણ અને દવાઓ આપવાનું કામ કરશે. આ સમગ્ર ચળવળને લોકોનો ખૂબ સારો ટેકો મળી રહ્યો છે. આરોગ્ય વિભાગે ન્યુટ્રિશન બાસ્કેટ માટે શાકાહારી અને માંસાહારી વિકલ્પો આપ્યા છે. કેટલાક લોકોએ ‘નિ-ક્ષય મિત્ર’ કાર્યક્રમમાં જોડાઈને પોતાના અનુભવો શેર કર્યા છે.
મને ડર હતો કે સ્થાનિક લોકો શું વિચારશે
39 વર્ષીય વિકાસ કૌશલ સેવ ધ ચિલ્ડ્રનના આરોગ્ય વિભાગના વડા છે. તેણે તે સમયને યાદ કર્યો જ્યારે તેના પિતા આ ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેણે કહ્યું કે તેઓ સારવાર લઈ રહ્યા હતા પરંતુ તેણે આ વિશે ક્યારેય કોઈને કહ્યું નહીં. તેમને ડર હતો કે વિસ્તારમાં રહેતા લોકો શું કહેશે. તેમણે કહ્યું કે આ સંસ્થાએ ગુરુગ્રામમાં 145 બાળકોને દત્તક લીધા છે. તેમણે એમ પણ કહ્યું કે જો દરેક વ્યક્તિ ટીબીના દર્દીઓને મદદ કરવાનું શરૂ કરે તો આ રોગ ચોક્કસપણે ખતમ થઈ જશે.
કૌશલે જણાવ્યું કે તે પહેલા ઉત્તર પ્રદેશમાં ટીબીથી પીડિત બાળકોને મદદ કરતો હતો. બાદમાં તે ગુરુગ્રામમાં આ પહેલમાં જોડાયો. તેમણે કહ્યું કે આ સંસ્થાનો ઉદ્દેશ્ય એ છે કે 2030 સુધીમાં કોઈ પણ બાળક ઈલાજ કરી શકાય તેવી બીમારીઓને કારણે મૃત્યુ ન પામે.
મદદ કરની સારું લાગે છે
બીજી બાજુ, 45 વર્ષીય ડોક્ટર શ્યામલી વર્શ્ને, જેઓ ડાયરેક્ટર જનરલ ઑફ હેલ્થ સર્વિસીસ પંચકુલાની ઑફિસમાંથી છે, તેમણે કહ્યું કે 11 વર્ષના દર્દીને ટેકો આપીને તેમને ખૂબ જ સારું લાગે છે. તેણીએ બોર્નવિટા, ફ્રુટ જામ, ચીઝ અને મેયોનેઝનો સમાવેશ કર્યો છે. જેથી દર્દીના ચહેરા પર સ્મિત આવી શકે. ખરેખર, ટીબીની સારવારને કારણે તેના સ્વાદના ટેસ્ટમાં સમસ્યા આવી છે. તેથી જ હું ઈચ્છું છું કે તેણીને ખાવા માટે પ્રેરિત કરવામાં આવે.