ચીન સામે ભારતની કડક કાર્યવાહી, 726 નાગરિકોના વિઝા પર પ્રતિબંધ લગાવ્યો, 117 નાગરિકોને પરત મોકલવામાં આવ્યા

આ માહિતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે મંગળવારે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી. 2019 અને 2021 વચ્ચે ભારતમાં રહેતા 81 ચીની (China) નાગરિકોની ઓળખ કરવામાં આવી હતી અને તેમને દેશ છોડવાની સૂચના આપવામાં આવી હતી.

ચીન સામે ભારતની કડક કાર્યવાહી, 726 નાગરિકોના વિઝા પર પ્રતિબંધ લગાવ્યો, 117 નાગરિકોને પરત મોકલવામાં આવ્યા
Chinese National
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 12:56 PM

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સતત તણાવ જાળવી રાખતા ચીનને (China) ભારત પણ સખત પાઠ ભણાવી રહ્યું છે. મંગળવારે લોકસભામાં (Lok Sabha) એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે કે ભારતે 2019-21 વચ્ચેના ત્રણ વર્ષ દરમિયાન ચીનના કુલ 726 નાગરિકોને વિઝાની પ્રતિકૂળ યાદીમાં મૂક્યા છે. આ યાદીમાં સામેલ લોકો ભારતમાં પ્રવેશી શકશે નહીં. આ સાથે એ પણ માહિતી આપવામાં આવી છે કે આ જ સમયગાળામાં 117 ચીની લોકોને ભારતથી પાછા મોકલવામાં આવ્યા છે.આ માહિતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે મંગળવારે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.

એવું કહેવામાં આવ્યું છે કે 2019 અને 2021 વચ્ચે ભારતમાં રહેતા 81 ચીની નાગરિકોની ઓળખ કરવામાં આવી હતી અને તેમને દેશ છોડવાની સૂચના આપવામાં આવી હતી. આ તમામ લોકો પર વિઝા નિયમોના ઉલ્લંઘન અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.

નિત્યાનંદ રાયે લોકસભામાં માહિતી આપી

નિત્યાનંદ રાયે લોકસભામાં કહ્યું, સરકાર માન્ય દસ્તાવેજો દ્વારા ભારતમાં પ્રવેશનારા તમામ વિદેશી નાગરિકોનો રેકોર્ડ રાખે છે. જેમાં ચીનના નાગરિકો પણ સામેલ છે. તેમાંના કેટલાક વિદેશી નાગરિકો વિઝાની મુદત પૂરી થયા પછી પણ તબીબી કારણોસર અથવા અન્ય કોઈ કારણસર ભારતમાં રહેવાનું ચાલુ રાખે છે. જે કેસમાં તપાસમાં એવું જાણવા મળે છે કે તે લોકો કોઈ પણ પ્રકારની ગેરરીતિ વગર કે અજાણતા રોકાયા છે તો તેમની પાસેથી દંડ લઈને ઓવરસ્ટેને નિયમિત કરવામાં આવે છે અને જો જરૂર જણાય તો વિઝાની મુદત લંબાવવામાં આવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પ્રતિકૂળ સૂચિ શું છે?

તેમણે કહ્યું કે એવા કિસ્સામાં જ્યાં જાણવા મળે છે કે વિઝાની મુદત પૂરી થયા પછી પણ વિદેશી નાગરિક જાણી જોઈને ભારતમાં રહે છે, તો ફોરેનર્સ એક્ટ 1946 હેઠળ જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. વિદેશી નાગરિક માટે ભારત છોડવાની અને દંડ અથવા વિઝા ફી વસૂલવાની પણ જોગવાઈ છે. ગૃહ મંત્રાલય 726 ચીની નાગરિકોની યાદી તૈયાર કરે છે જેમને સરકાર દ્વારા વિઝાની પ્રતિકૂળ યાદીમાં મૂકવામાં આવ્યા છે.

આ યાદીમાં સામેલ લોકોને ભારતમાં પ્રવેશવાની મંજૂરી નથી. તેમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ વિઝા નિયમોનું ઉલ્લંઘન કરે છે અથવા તો ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ યાદી ભારતીય દૂતાવાસને મોકલવામાં આવે છે, જેથી આવા લોકોને ભારતમાં પ્રવેશતા અટકાવી શકાય.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">