દેશભરમાં 20 લાખથી વધારે આરોગ્ય કર્મીઓને કોરોનાની રસી અપાઈ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે કોવિડ-19 ના બચાવ માટે મંગળવાર રાત સુધી દેશભરમાં 20 લાખથી વધારે આરોગ્ય કર્મીઓનું રસીકરણ થઈ ચુક્યું છે. જેમાં મંત્રાલયે કહ્યું કે ૧૧માં દિવસે પાંચ રાજ્યોમાં ૧૯૪ સત્રમાં સાંજે સાત વાગે સુધી ૫૬૧૫ લોકોનું રસીકરણ થયું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે Covid-19 ના બચાવ માટે મંગળવાર રાત સુધી દેશભરમાં 20 લાખથી વધારે આરોગ્ય કર્મીઓનું રસીકરણ થઈ ચુક્યું છે. જેમાં મંત્રાલયે કહ્યું કે ૧૧માં દિવસે પાંચ રાજ્યોમાં ૧૯૪ સત્રમાં સાંજે સાત વાગે સુધી ૫૬૧૫ લોકોનું રસીકરણ થયું છે. જેમાં તમિલનાડુમાં ૪૯૨૬, કર્ણાટકમાં ૪૨૯, રાજસ્થાનમાં ૨૧૬, તેલંગાનામાં ૩૫ અને આંધ્રપ્રદેશમાં નવ લોકોને રસી આપવામાં આવી છે.
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે Covid-19 બચાવ માટે અત્યાર સુધી કુલ 20.29 લાખ આરોગ્યકર્મીઓનું રસીકરણ થયું છે. જેમાં એક અહેવાલ અનુસાર અત્યાર સુધી કુલ 20,29,424 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
મંત્રાલયે કહ્યું કે ગણતંત્ર દિવસના લીધે રસીકરણ માટે સીમિત સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રાલયના આંકડા અનુસાર અત્યાર સુધી સૌથી વધારે કર્ણાટકમાં 2, 31,601 આરોગ્ય કર્મીઓને રસી આપવામાં આવી છે. ઓરિસ્સામાં 1,77,090 રાજસ્થાન માં 1,61,332 અને મહારાષ્ટ્રમાં 1,36,901 આરોગ્ય કર્મીઓએ કોરોનાની રસી લીધી હતી.