ભારતમાં આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નેગેટિવ RTPCR ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત
India Issues Fresh Travel Advisory: ભારતમાં આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નેગેટિવ RTPCR ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત રહેશે. આરોગ્ય મંત્રાલયે બુધવારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.
ભારતમાં આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નેગેટિવ RTPCR ટેસ્ટ (Negative RT PCR Test Report) રિપોર્ટ ફરજિયાત રહેશે. આરોગ્ય મંત્રાલયે બુધવારે નવી માર્ગદર્શિકા (India Issues Fresh Travel Advisory) જાહેર કરી છે. માર્ગદર્શિકા અનુસાર આ પરીક્ષણ રિપોર્ટ મુસાફરીના 72 કલાક પહેલા થવો જોઈએ. ગાઈડલાઈનમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ મુસાફરોએ આ રિપોર્ટની સત્યતા અંગે જાહેરનામું પણ રજૂ કરવું પડશે.
બ્રિટન સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાઈરસ મહામારીનો ડેલ્ટા વેરિઅન્ટ હજુ પણ હંગામો મચાવી રહ્યું છે. 11 ઓક્ટોબરથી બ્રિટનમાં દરરોજ 40 હજારથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું કે 11થી 17 ઓક્ટોબર વચ્ચે ભારતમાં કોવિડ -19ના દૈનિક કેસોમાં 18 ટકા અને કોરોનાને કારણે થનારા મૃત્યુમાં 13 ટકાનો ઘટાડો થયો છે.
તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે યુરોપિયન પ્રદેશ સિવાય વિશ્વમાં દરેક જગ્યાએ એક અઠવાડિયામાં નોંધાયેલા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. WHO દ્વારા મંગળવારે બહાર પાડવામાં આવેલા ‘કોવિડ -19 વિકલી એપિડેમિયોલોજીકલ અપડેટ’માં આ માહિતી આપવામાં આવી છે.
યુરોપિયન દેશોમાં 7 ટકા વૃદ્ધિ
એવું કહેવામાં આવ્યું હતું કે 11થી 17 ઓક્ટોબર વચ્ચે કોવિડ -19ના 27 લાખથી વધુ કેસ નોંધાયા હતા અને 46,000થી વધુ લોકો આ કારણે મૃત્યુ પામ્યા હતા. નવા કેસો અને કોરોનાથી મૃત્યુની વૈશ્વિક સંખ્યા ગયા સપ્તાહ જેટલી જ રહી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુરોપિયન પ્રદેશ સિવાય વિશ્વમાં દરેક જગ્યાએ આ એક અઠવાડિયામાં નોંધાયેલા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. ગત સપ્તાહની સરખામણીમાં યુરોપિયન ક્ષેત્રે નવા કેસોમાં 7 ટકાનો વધારો નોંધાવ્યો છે.
તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ધીમે ધીમે ઘટી રહ્યો છે. અત્યાર સુધી કોવિડ -19 સંક્રમણની ત્રીજી લહેરના કોઈ સંકેત મળ્યા નથી. મહામારીની પ્રથમ અને બીજી લહેર વચ્ચેના અંતરાલના આધારે કેટલાક વાઈરોલોજિસ્ટ અને ડોક્ટરોએ કહ્યું કે ત્રીજી લહેર ઓક્ટોબર-નવેમ્બરમાં આવશે. જો કે હવે ઘણા આરોગ્ય નિષ્ણાંતો કહે છે કે મહામારી સમાપ્ત થઈ રહી છે. નિષ્ણાતોના મતે હાલમાં સાપ્તાહિક કેસ લોડમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
કોવિડ કેસોની 7 દિવસની મૂવિંગ એવરેજ 50,000ની નીચે છે
ડો.ટી જેકબ જોનના જણાવ્યા મુજબ છેલ્લા 16 અઠવાડિયાથી કોવિડ કેસોની સાત દિવસની મૂવિંગ એવરેજ 50,000ની નીચે છે. 9 ઓક્ટોબરથી તે 20,000ની નીચે આવી ગયો છે. ICMRના સેન્ટર ઓફ એડવાન્સ્ડ રિસર્ચ ઈન વાયરોલોજીના પૂર્વ ડિરેક્ટરે મંગળવારે એક ઓનલાઈન વાર્તા ‘શું મહામારી સમાપ્ત થઈ ગઈ છે?’ તેમણે ‘વાયરસના સંવર્ધન નંબર’ પર આધારિત ગણતરી ટાંકી. જે દર્શાવે છે કે પ્રથમ લહેર દરમિયાન લગભગ 450 મિલિયન ભારતીયો અને બીજી લહેર દરમિયાન 830 મિલિયન લોકો સંક્રમિત હતા.
બીજી બાજુ ઘણા નિષ્ણાતો માને છે કે કોરોના મહામારીનો ખતરો હજુ સમાપ્ત થયો નથી. એવી આશંકા છે કે જો આગામી તહેવારોમાં લોકો સજાગ નહીં રહે તો કેસ ઝડપથી વધી શકે છે. એઈમ્સ (AIIMS)ના ડોક્ટર પિયુષ રંજનએ લોકોને આ બાબતે સાવચેત રહેવા કહ્યું છે.
તેમણે કહ્યું છે કે રસી લગાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડૉ પીયૂષ કહે છે વિશ્વભરના વૈજ્ઞાનિકોએ માન્યું છે કે કોરોના સામેની લડાઈમાં રસીએ એક મહત્વપૂર્ણ હથિયાર છે. કોરોનાને દૂર કરવા માટે મહત્તમ લોકો ઈમ્યુન હોય તે જરૂરી છે. ઈમ્યુનિટી સંક્રમણથી પણ આવી છે, પરંતુ તેના બદલે વેક્સીનથી ઈમ્યુન થવું વધુ સારું છે. તેથી જ વિશ્વભરના વૈજ્ઞાનિકો રસી બનાવવામાં લાગ્યા હતા.