ગાંધીજીનો ફોટો હટાવવાની માગ અને ગોડસેનો આભાર માનનારા IAS અધિકારી વિરુદ્ધ લેવાયા પગલા, કર્યું હતું વિવાદાસ્પદ ટ્વીટ
ગાંધીજીના 150 વર્ષ નિમિત્તે તેમનો ફોટો ચલણી નોટો પરથી હટાવવાની માગણી કરનારી અને ગાંધીજીને ગોળી મારનાર ગોડસેને ધન્યવાદ આપનારી મહિલા IAS અધિકારીનું ટ્રાન્સફર કરી દેવાયું છે અને હવે તેમને જળ અને સ્વચછતા વિભાગનો હવાલો આપવામાં આવ્યો છે. 30મે, 1948ના રોજ ગાંધીજીની હત્યા કરાઈ હતી અને તેને લઈને નિધિ ચૌધરીએ એક ટ્વીટ કરી હતી. આ ટ્વીટમાં […]
ગાંધીજીના 150 વર્ષ નિમિત્તે તેમનો ફોટો ચલણી નોટો પરથી હટાવવાની માગણી કરનારી અને ગાંધીજીને ગોળી મારનાર ગોડસેને ધન્યવાદ આપનારી મહિલા IAS અધિકારીનું ટ્રાન્સફર કરી દેવાયું છે અને હવે તેમને જળ અને સ્વચછતા વિભાગનો હવાલો આપવામાં આવ્યો છે.
30મે, 1948ના રોજ ગાંધીજીની હત્યા કરાઈ હતી અને તેને લઈને નિધિ ચૌધરીએ એક ટ્વીટ કરી હતી. આ ટ્વીટમાં નિધિ ચૌધરીએ ગાંધીજીનો ફોટો પણ ચલણી નોટ પરથી હટાવવાની માગ કરી હતી અને પોતાની પોસ્ટમાં છેલ્લે ગોડસેનો આભાર માન્યો હતો.
આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો હતો. એનસીપીના નેતાએ તો આ મહિલા અધિકારીને સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી. જો કે નિધિ ચૌધરીએ આ ટ્વીટને લઈને ખૂલાસો કર્યો કે મારો કોઈ જ આવો ઈરાદો નહોતો અને મારું વોટસએપ સ્ટેટસ પણ સત્યમેવ જ્યતે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મહિલા અધિકારીને બોમ્બે મ્યુનિસીપાલ વિભાગમાં ટ્રાન્સફર કરી દેવાયા છે અને તેમાં જળ અને સ્વચ્છતા વિભાગનો હવાલો તેમને આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પણ આ ટ્વીટને લઈને મહિલા અધિકારી પાસે ખૂલાસો માગ્યો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]