કોરોનાની દહેશત વચ્ચે મોટો નિર્ણય: આ તારીખ સુધી તમામ કોમર્શિયલ ફ્લાઈટના અવરજવર પર પ્રતિબંધ
કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે કોમર્શિયલ ફ્લાઈટની અવર જવર પર 28 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
International Flights Suspension: દેશમાં કોરોના વાયરસના (Corona Virus) વધતા જતા કેસ વચ્ચે કોમર્શિયલ ફ્લાઈટની (Commercial Flight) અવરજવર પર 28 ફેબ્રુઆરી 2022 સુધી પ્રતિબંઘ લગાવવામાં આવ્યો છે. જો કે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે, ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરવાથી કાર્ગો અને DGCA માન્ય ફ્લાઈટ્સ પર કોઈ અસર થશે નહીં.
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ સ્થગિત
તમને જણાવી દઈએ કે, અગાઉ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ 31 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે, કોવિડ-19 રોગચાળાને કારણે 23 માર્ચ 2020 થી આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી હતી. જો કે, છેલ્લા જુલાઈ 2020 થી લગભગ 28 દેશો સાથે એર બબલ કરાર હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યુ છે.
“The authority has decided to extend the suspension of Scheduled International commercial passenger services to/from India till 2359 hrs IST of 28th February 2022,” reads an official letter of Civil Aviation pic.twitter.com/QctWuxtmvs
— ANI (@ANI) January 19, 2022
એરલાઈન્સને નુકસાન થવાની શક્યતા
કોરોના વાયરસની ત્રીજી લહેર અને એરક્રાફ્ટ ફ્યુઅલ (ATF)ના ભાવમાં વધારો થતા ચાલુ નાણાકીય વર્ષમાં એરલાઇન કંપનીઓની ખોટ વધીને 20,000 કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા છે. ક્રિસિલના અહેવાલ મુજબ, એરલાઇન્સ (Airlines) ચાલુ નાણાકીય વર્ષમાં તેમની અત્યાર સુધીની સૌથી મોટી ખોટ તરફ આગળ વધી રહી છે.
આ નુકસાન ગયા નાણાકીય વર્ષમાં લગભગ 13,853 કરોડ હતુ. ઈન્ડિગો, સ્પાઈસજેટ અને એર ઈન્ડિયા પર આધારિત અહેવાલ મુજબ, જે એકસાથે 75 ટકા ડોમેસ્ટિક ફ્લાઈટ્સનો હિસ્સો ધરાવે છે, તે આ નુકસાન નાણાકીય વર્ષ 2022-23 સુધીમાં ભરપાઈ થઈ જશે.
કોરોનાના કેસમાં અચાનક ઉછાળો
તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના બે લાખ 82,970 નવા કેસ નોંધાયા છે અને 441 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જ્યારે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના અત્યાર સુધીમાં 8,961 કેસ નોંધાઈ ચૂક્યા છે. હાલ દેશમાં દૈનિક પોઝિટિવિટિ દર વધીને 15.13% છે. આથી કોરોના કેસમાં અચનાક ઉછાળો આવતા સરકાર દ્વારા નિયોમોમાં કડકાઈ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ન્યાયતંત્ર પર કોરોનાનું ગ્રહણ! Supreme Courtના 10 જજ અને 400થી વધુ કર્મચારીઓ Covid પોઝિટિવ