દેશમાં કોરોના વાઈરસના સંક્રમણને લઈને રાહતના સમાચાર, 60 ટકાથી વધુ દર્દી થયા સ્વસ્થ
દુનિયામાં કોરોના વાઈરસના લીધે હાહાકાર છે ત્યારે ભારતમાં કોરોનાના લઈને એક રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે કોરોનાનો રિકવરી રેટ વધીને 60 ટકાને પાર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ 60.73 ટકા નોંધાયો છે. આમ કોરોના વાઈરસના દર્દીઓ ભારતમાં ઝડપથી સાજા થઈ રહ્યાં છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]
દુનિયામાં કોરોના વાઈરસના લીધે હાહાકાર છે ત્યારે ભારતમાં કોરોનાના લઈને એક રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે કોરોનાનો રિકવરી રેટ વધીને 60 ટકાને પાર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ 60.73 ટકા નોંધાયો છે. આમ કોરોના વાઈરસના દર્દીઓ ભારતમાં ઝડપથી સાજા થઈ રહ્યાં છે.
આ પણ વાંચો : પાકિસ્તાનના શેખુપુરામાં એક્સપ્રેસ ટ્રેન અને બસ વચ્ચે ટક્કર, 19 શીખ યાત્રીના મોત
કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપતાં કહ્યું કે દેશમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હીમાં છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,86,626 છે. આ કુલ પોઝિટિવ કેસમાંથી 101172 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે કોરોના વાઈરસના મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ 77276 છે. જ્યારે તમિલનાડુમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 98,392 છે અને દિલ્હીમાં કુલ 92,175 કેસ નોંધાયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
છેલ્લાં 24 કલાકમાં 20 હજારથી વધારે લોકો થયા કોરોના સંક્રમિત ભારતમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6.25 લાખને પાર પહોંચી ગઈ છે. જેમાં 3.79 લાખ લોકો સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા છે. દેશમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસ 2.27 લાખ છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 20,903 કેસ નોંધાયા છે. જો કે આ જ સમયગાળા દરમિયાન 20 હજારથી વધારે દર્દીઓ સ્વસ્થ પણ થયા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]