India Corona Update: દેશમાં કોરોનાના કેસ ઘટતા રાહત, એક દિવસમાં નોંધાયા 62,176 કેસ અને 2,539 લોકોનાં મોત
દેશમાં કોરોનાની બીજી લહેરનું સંક્રમણ ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે. દેશમાં એક જ દિવસ દરમિયાન 62 હજાર 176 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 2 કરોડ 96 લાખ 32 હજારને પાર પહોંચી ગઈ છે.
દેશમાં કોરોનાની (Corona) બીજી લહેરનું સંક્રમણ ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે. દેશમાં એક જ દિવસ દરમિયાન 62 હજાર 176 કેસ (Case) નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 2 કરોડ 96 લાખ 32 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે દેશમાં ગઈકાલે કોરોનાથી 2 હજાર 539 લોકો મોતને ભેટ્યા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 3 લાખ 79 હજાર 601 પર પહોંચ્યો છે.
ગઈકાલે એક જ દિવસમાં 1 લાખ 7 હજાર 710 દર્દી સાજા થઈને ઘરે ગયા છે. હાલ દેશમાં સૌથી વધુ સંક્રમણ કેરળમાં છે, જ્યાં એક દિવસમાં 12 હજાર 246 કેસ નોંધાયા છે. જ્યારે તામીલનાડુમાં 11 હજાર 805 કેસ નોંધાયા છે.
ગુજરાતની વાત કરવામાં આવે તો, રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે અને 112 દિવસ બાદ 400થી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં નવા 352 કેસ નોંધાયા, જ્યારે માત્ર 4 દર્દીઓ કોરોના સામેનો જંગ હાર્યા. રાજ્યમાં હવે 8 હજાર 884 જ એક્ટિવ કેસ છે, જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા 219 થઇ છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 10 હજારને પાર પહોંચ્યો છે, તો સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 8 લાખને પાર પહોંચી છે.
સાજા થવાનો દર વધીને 97.70 ટકા થયો છે. રાજ્યના 4 મહાનગરોની વાત કરીએ તો, મહાનગરોમાં કોરોનાના કેસોની સંખ્યા 2 આંકડામાં પહોંચી છે. અમદાવાદમાં આક્રમક બનેલો કોરોના કાબૂમાં છે. અમદાવાદમાં નવા 49 કેસ સાથે 2 દર્દીઓના મૃત્યુ થયા, તો સુરતમાં 71 કેસ સાથે 1 દર્દીનો જીવ ગયો. વડોદરામાં 50 કેસ, તો રાજકોટમાં 25 કેસ નોંધાયા, જ્યારે જૂનાગઢમાં એક દર્દી કોરોના સામેનો જંગ હાર્યો.