India Corona Update: દેશમાં 81 દિવસ બાદ કોરોનાના ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં નવા 58,562 કેસ આવ્યા અને 1573 દર્દીઓના મોત

દેશમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 58,562 પોઝિટિવ કેસ સામે આવ્યા, તો 1573 લોકોએ જીવ ગુમાવ્યો. જ્યારે 24 કલાકમાં 87 હજારથી વધારે લોકો સારવાર બાદ સ્વસ્થ થયા.

India Corona Update: દેશમાં 81 દિવસ બાદ કોરોનાના ઓછા કેસ નોંધાયા,  24 કલાકમાં નવા 58,562 કેસ આવ્યા અને 1573 દર્દીઓના મોત
File Photo
Follow Us:
| Updated on: Jun 20, 2021 | 10:43 AM

દેશમાં પાછલા 24 કલાકમાં કોરોનાના (Corona) 58,562 પોઝિટિવ કેસ સામે આવ્યા, તો 1573 લોકોએ જીવ ગુમાવ્યો. જ્યારે 24 કલાકમાં 87 હજારથી વધારે લોકો સારવાર બાદ સ્વસ્થ થયા. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની (Case) સંખ્યા પણ ઘટીને 7 લાખ 24 હજાર થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કેસની સંખ્યા 2 કરોડ 98 લાખ 81 હજારને પાર કરી ગઈ છે, તો અત્યાર સુધીમાં કોરોનાથી 3 લાખ 86 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં કોરોનાની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે. નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 228 નવા કેસ નોંધાયા છે, જેની સામે 874 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 97.98 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં 5 દર્દીના મોત થયા છે. રાજ્યના 6 મહાનગર અને 29 જિલ્લામાં એકપણ મોત નોંધાયું નથી.

રાજ્યમાં સતત અગિયારમાં દિવસે એકેય જિલ્લા કે શહેરમાં 100 થી વધુ કેસ નોંધાયા નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 21 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 28 થયો છે. રાજ્યમાં હાલ 6 હજાર 579 એક્ટિવ કેસ છે, જેમાંથી 173 દર્દી વેન્ટિલેટર પર છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રાજ્યમાં રસીકરણની જો વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં 3 લાખ 24 હજાર 615 લોકોએ રસી મુકાવી. જેમાંથી 3 હજાર 192 હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને રસીનો પ્રથમ ડોઝ અપાયો. તો 4 હજાર 670 હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને રસીનો બીજો ડોઝ અપાયો, જ્યારે 45 થી મોટી ઉંમરના 58 હજાર 306 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 38 હજાર 730 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો.

18 થી 45 વર્ષના 2 લાખ 18 હજાર 207 યુવાનોને રસીનો પ્રથમ ડોઝ અને 1 હજાર 510 યુવાનોને રસીનો બીજો ડોઝ અપાયો. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 2 કરોડ 18 લાખ 71 હજાર 920 લોકોનું રસીકરણ થઇ ચૂક્યું છે. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ રસીકરણ અમદાવાદ જિલ્લામાં થયું છે. અમદાવાદ જિલ્લામાં કુલ 45,573 લોકોને રસી આપવામાં આવી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">