India Corona Update : દેશમાં ઘટ્યા કોરોનાના કેસ, એક દિવસમાં નોંધાયા 62,224 કેસ અને 2,542 લોકોનાં મોત

India Corona Update : દેશમાં કોરોનાની (Corona) બીજી લહેરનું સંક્રમણ ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે. દેશમાં એક જ દિવસ દરમિયાન 62 હજાર 224 કેસ (Case) નોંધાયા છે.

India Corona Update : દેશમાં ઘટ્યા કોરોનાના કેસ, એક દિવસમાં નોંધાયા 62,224 કેસ અને 2,542 લોકોનાં મોત
દેશમાં કોરોનાના કેસ ઘટ્યા
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jun 17, 2021 | 7:45 AM

India Corona Update : દેશમાં કોરોનાની (Corona) બીજી લહેરનું સંક્રમણ ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે. દેશમાં એક જ દિવસ દરમિયાન 62 હજાર 224 કેસ (Case) નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 2 કરોડ 96 લાખ 33 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે દેશમાં ગઈકાલે કોરોનાથી 2 હજાર 542 લોકો મોતને ભેટ્યા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 3 લાખ 79 હજાર 573 પર પહોંચ્યો છે. જયારે  1,07,628 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. 

દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 8,65,432 છે. છેલ્લા 24 કલાકમાં 28,00,458 લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી હતી. અત્યાર સુધી 26,19,72,014 લોકોનું રસીકરણ થઇ ગયું છે. દેશમાં રિકવરી રેટ વધીને 95.80 ટકા થયો છે, જ્યારે છેલ્લા અઠવાડિયામાં પોઝિટિવિટી રેટ 5 ટકાથી પણ નીચે આવી ગયો છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

રાજ્યમાં 16 જૂને ઘણા દિવસો પછી કોરોનાના 300થી ઓછા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટીવ કેસ ઘટીને 8,242 થયા છે.રાજ્યમાં 16 જૂનના રોજ કોરોનાના નવા 298 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 5 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,21,376 થઈ છે અને મૃત્યુઆંક 10,012 થયો છે.

રાજ્યમાં  16 જૂનના રોજ અમદાવાદ અને સુરત શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 46 અને સુરતમાં 47 નવા કેસ, વડોદરામાં 25, રાજકોટમાં 19, ગાંધીનગરમાં 4, જામનગરમાં 7, જુનાગઢમાં 3 અને ભાવનગર કોરોના વાયરસનો માત્ર 1 નવો કેસ નોંધાયો છે.

રાજ્યમાં 16 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 935 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,03,122 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 97.78 ટકા જેટલો થયો છે.

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">