India China Dispute: ઉત્તરાખંડમાં LAC બોર્ડર નજીક ચીની સૈનિકોની વધી ગતીવિધી, જડબાતોડ જવાબ આપવા ભારત તૈયાર
ચીનની (china) ગતીવિધી જોઈને ભારત પણ સચેત થઈ ગયું છે. ભારતીય વાયુસેનાએ (Indian Air Force) સરહદ વિસ્તારની સાથે કેટલાક એરબેઝ પણ સક્રિય કર્યા છે
ગયા વર્ષથી લદ્દાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, ચીનના સૈન્ય જવાનોએ ઉત્તરાખંડના બારાહોટી વિસ્તારમાં ( Barahoti area) વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ની બાજુમાં તેની સૈન્ય ગતીવિધીમાં વધારો કર્યો છે. તાજેતરમાં, પીપલ્સ લિબરેશન આર્મીની (PLA) એક પ્લાટુન એલએસી નજીક સક્રિય જોવા મળી હતી. સૂત્રોએ જણાવ્યું છે કે તાજેતરમાં ઉત્તરાખંડના બારાહોટી વિસ્તારની આસપાસ પીપલ્સ લિબરેશન આર્મી ના લગભગ 35 સૈનિકોની એક પ્લાટુન ઓપરેશન કરતી જોવા મળી હતી અને જાણવા મળ્યું હતું કે આ સૈનિકો આસપાસના વિસ્તારોનો સર્વે કરી રહ્યા હતા. જો કે, લાંબા સમય પછી, ચીની સૈનિકો સરહદના આ વિસ્તારમાં ગતીવિધી કરતા જોવા મળ્યા છે.
ચીની સૈનિકો આ વિસ્તારમાં જ્યા સુધી રોકાઈ હતી ત્યા સુધી ભારત પણ આ ક્ષેત્ર પર સતત નજર રાખી રહ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય પક્ષે, ચીન દ્વારા કોઈપણ પ્રકારની પ્રવૃત્તિને અટકાવવા માટે આ વિસ્તારમાં પૂરતી વ્યવસ્થા કરી દીધી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઉતરાખંડના બારાહોટી વિસ્તારની સુરક્ષા પર સતત નજર રાખનારનું માનવુ છે કે, ચીની સૈનિકો આ વિસ્તારમાં થોડી ધણી કાર્યવાહી કરવાનો પ્રયાસ કરી શકે છે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે તૈયારીઓની સમીક્ષા કરી સૂત્રોના કહ્યા મુજબ, તાજેતરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ વાય ડિમરીએ પણ એલએસીની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિ અને સૈન્ય ગતીવિધીની સજ્જતાની સમીક્ષા કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બારાહોટી વિસ્તાર નજીકના એક એરબેઝ ઉપર પણ ચીનની ગતીવિધી તેજ બની છે અને તેમના દ્વારા ત્યાં મોટી સંખ્યામાં ડ્રોન તહેનાત કરવામાં આવ્યા છે.
સરહદ વિસ્તાર સાથેનો એરબેઝ સક્રિય બીજી તરફ ચીનની ગતીવિધી જોઈને ભારત પણ સતર્ક થઈ ગયુ છે. ભારતીય વાયુસેનાએ (Indian Air Force) સરહદ વિસ્તારની સાથે કેટલાક એરબેઝ પણ સક્રિય કર્યા છે, જેમાં ચીન્યાલીસૌંડ એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે. અહીં AN -32 વિમાન દ્વારા સતત નજર રખાઈ રહી છે. આ સિવાય તે વિસ્તારમાં ચિનૂક હેલિકોપ્ટર દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે, અને જો જરૂર પડે તો દુર્ગમ પર્વત અને ખીણ વિસ્તારમાં સૈન્ય જવાનોને પહોચાડવા માટે તૈયારી કરી લેવાઈ છે.
આ પણ વાંચોઃ યુપીના પ્રોફેસરે કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાની વિશે ફેસબુકમાં કરી અશ્લિલ પોસ્ટ, જાણો પછી શુ થયુ
આ પણ વાંચો: Ind vs SL: હાર બાદ શ્રીલંકાની ટીમના કેપ્ટન અને કોચ વચ્ચે થયો ઝગડો! Video થયો વાયરલ