છેલ્લા 7 વર્ષમાં 8.5 લાખથી વધુ ભારતીયોએ છોડી નાગરિકતા, લોકસભામાં કેન્દ્રએ આપી જાણકારી
છેલ્લા 7 વર્ષમાં 20 સપ્ટેમ્બર સુધી 6,08,162 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી હતી. તેમાંથી 1,11,287 લોકોએ આ વર્ષે 20 સપ્ટેમ્બર સુધી પોતાની ભારતીય નાગરિકતા છોડી દીધી હતી.
કેન્દ્ર સરકારે (Central Government) આજે એટલે કે મંગળવારે લોકસભા (Lok Sabha)માં જણાવ્યું કે છેલ્લા 7 વર્ષમાં 8.5 લાખથી વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે. સરકારે કહ્યું કે વિદેશ મંત્રાલયની પાસે ઉપલબ્ધ જાણકારી મુજબ છેલ્લા 7 વર્ષમાં 30 સપ્ટેમ્બર 2021 સુધી 8,81,254 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે.
ત્યારે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે (Union minister of state for home affairs Nityanand Rai) આ પહેલા 1 ડિસેમ્બરે સંસદને જણાવ્યું હતું કે છેલ્લા 7 વર્ષમાં 20 સપ્ટેમ્બર સુધી 6,08,162 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી હતી. તેમાંથી 1,11,287 લોકોએ આ વર્ષે 20 સપ્ટેમ્બર સુધી પોતાની ભારતીય નાગરિકતા છોડી દીધી હતી.
8,81,254 Indians renounced their citizenship in the last 7 years till Sept 30, 2021, as per info available with MEA: Govt in Lok Sabha
— ANI (@ANI) December 14, 2021
તેમને કહ્યું હતું કે 10,645 વિદેશી નાગરિકો, જેમાંથી મોટાભાગના પાકિસ્તાન (7,782) અને અફઘાનિસ્તાન (795)માંથી છે. 2016 અને 2020ની વચ્ચે ભારતીય નાગરિકતા માટે અરજી કરી છે. તેમને એ પણ કહ્યું કે હાલમાં 100 લાખથી વધારે ભારતીય વિદેશોમાં રહે છે. ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ 1.25 કરોડ ભારતીય નાગરિક વિદેશમાં રહે છે. જેમાં 37 લાખ લોકો ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ સિટીજનશિપ ઓફ ઈન્ડિયા કાર્ડધારક છે.
5 વર્ષમાં 4,177 લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી
આ પહેલા 30 નવેમ્બરે ગૃહ મંત્રાલયે લોકસભામાં કહ્યું હતું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન 4,177 લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. MHAએ કહ્યું કે નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019 (CAA) 12 ડિસેમ્બર 2019ના રોજ સૂચિત કરવામાં આવ્યો હતો અને 10 જાન્યુઆરી 2020થી અમલમાં આવ્યો છે. CAA હેઠળ આવતા લોકો CAA હેઠળના નિયમો જાહેર થયા પછી નાગરિકતા માટે અરજી કરી શકે છે.
ત્યારે NRICને રાષ્ટ્રીય સ્તર પર લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર એક જવાબમાં ગૃહ મંત્રાલયે કહ્યું અત્યાર સુધી સરકારે રાષ્ટ્રીય સ્તર પર ભારતીય નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટર તૈયાર કરવાનો કોઈ નિર્ણય લીધો નથી. ત્યારે જ્યાં સુધી અસમનો સવાલ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર એનઆરસીમાં સમાવેશ કરવા માટેની પૂરક યાદીની હાર્ડ કોપી અને તેમાંથી બાકાત રાખવા માટેની ઓનલાઈન કુટુંબ મુજબની યાદી 31 ઓગસ્ટ 2019ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે.
આ પણ વાંચો: UP Election: શા માટે અને કયા કારણોસર પીએમ નરેન્દ્ર મોદીને દોઢ મહિનામાં 6 તાબડતોબ મુલાકાતો કરવાની ફરજ પડી