12 ખેડૂતોની સામે પ્રતિબંધિત બીજની વાવણી કરવા પર કેસ દાખલ
પ્રતિબંધીત હર્બિસાઈડ-ટોલેરન્ટ બીટી (HTBT) કપાસના બીજની વાવાણીના આરોપમાં મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના લગભગ 12 ખેડૂતોની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આનુવાંશિક રીતે જેનેટિકલી મોડિફાઈડ અને બેસિલસ થૂરિગિએનસિસ કપાસ અને રીંગણના બીજનો ઉપયોગ કરવા પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રતિબંધની વિરૂધ્ધ કૃષિ સંગઠન દ્વારા આયોજીત વિરોધ પ્રદર્શન હેઠળ અડગાંવ અને અકોલી જહાંગીર ગામમાં […]
પ્રતિબંધીત હર્બિસાઈડ-ટોલેરન્ટ બીટી (HTBT) કપાસના બીજની વાવાણીના આરોપમાં મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના લગભગ 12 ખેડૂતોની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આનુવાંશિક રીતે જેનેટિકલી મોડિફાઈડ અને બેસિલસ થૂરિગિએનસિસ કપાસ અને રીંગણના બીજનો ઉપયોગ કરવા પર કેસ દાખલ કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારના પ્રતિબંધની વિરૂધ્ધ કૃષિ સંગઠન દ્વારા આયોજીત વિરોધ પ્રદર્શન હેઠળ અડગાંવ અને અકોલી જહાંગીર ગામમાં ખેડૂતોએ તેમના ખેતરમાં બીજ વાવ્યા હતા. પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન તરીકે પૂર્વ મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં 10 જૂને ઘણાં ખેડૂતોએ કપાસ અને રીંગણના બીજ વાવ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સંગઠનને જી.એમ પાક પ્રતિબંધનો વિરોધ કરતા દાવો કર્યો કે તેનાથી ઓછા ખર્ચમાં વધારે પેદાશ થાય છે અને ખેડૂતોને ફાયદો થાય છે. હિવારખેડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે કૃષિ વિભાગની ફરિયાદના આધારે હિવારખેડ અને અકોટ પોલીસ સ્ટેશનમાં 2 પ્રાથમિક ફરિયાદ દાખલ કરી છે. જે લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેમાં સંગઠનના પ્રવક્તા લલિત બહાલે પણ સામેલ છે.
ભારતીય દંડ સંહિતાની કલમો અને પર્યાવરણ સંરક્ષણ કાયદો અને બીજ કાયદા હેઠળ ખેડૂતોની વિરૂધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. દેશમાં જી.એમ. પાક પ્રયોગ પર્યાવરણ અધિનિયનમ, 1986 હેઠળ ખતરનાક સુક્ષ્મજીવો, આનુવંશિક રીતથી સંવર્ધિત જીવોના નિયમ 1989 મુજબ રેગ્યુલેટ કરવામાં આવે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]