Jammu Kashmir : સ્વાતંત્ર્ય દિવસ પુર્વ આતંકીઓના હુમલાની કોશિશ નાકામ, જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકીની ધરપકડ
જૈશના આતંકીઓમાંથી એક યુપીના શામલીના ( Shamli )રહેવાસી હોવાનું સામે આવ્યું છે,આતંકી ઇજાહર ખાને ખુલાસો કર્યો હતો કે," પાકિસ્તાનમાં જૈશ કમાન્ડર મુનાઝિરે તેને અમૃતસર નજીકથી હથિયારો એકત્ર કરવા કહ્યું હતું."
Jammu Kashmir : જમ્મુ કશ્મીરના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે,જેમાં જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકીની ધરપકડ કરવામાં આવી છે.હાલ, આતંકિયો પાસેથી મોટી માત્રામાં હથિયાર (Weapons) મળી આવ્યા છે.અહેવાલોનું માનીએ તો,15 ઓગસ્ટ પહેલા મોટા હુમલાની આતંકીઓનું આયોજન હોવાનું સામે આવી રહ્યું છે.જેમાં આંતકીઓ ડ્રોન (Drone)મારફતે અમૃતસરમાં (Amritsar) હથિયારો પહોંચાડવાની ફિરાકમાં હતા.
The arrested JeM terrorists were planning to plant a vehicle-based IED in Jammu before August 15 & reconnaissance of important targets in other parts of the country: IGP, Jammu
— ANI (@ANI) August 14, 2021
પકડાયેલા જૈશના આતંકીઓમાંથી એક યુપીના શામલીના ( Shamli )રહેવાસી હોવાનું સામે આવ્યું છે,આતંકી ઇજાહર ખાને ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાનમાં જૈશ કમાન્ડર મુનાઝિરે તેને અમૃતસર નજીકથી હથિયારો એકત્ર કરવા કહ્યું હતું, જે ડ્રોન દ્વારા ઉતારવામાં આવશે.
One of the arrested JeM terrorists, Ijahar khan, a resident of UP’s Shamli, disclosed that Munazir, a Jaish commander in Pakistan had asked him to collect weapons from near Amritsar which would be dropped by a drone: IGP, Jammu
— ANI (@ANI) August 14, 2021
પોલીસે જણાવ્યું હતું કે, આતંકીઓ ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા હથિયારોનો સંગ્રહ કરીને કાશ્મીરમાં અન્ય જૈશ આતંકવાદીઓને સપ્લાય કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઉપરાંત 15 ઓગસ્ટ પહેલા જમ્મુમાં IED નાખવાનું કાવતરું પણ ઘડી રહ્યા છે.
પોલીસે પહેલા પુલવામાના (Pulwama) પ્રિચૂ વિસ્તારમાંથી મુન્તઝીર મંઝૂર નામના આતંકીની ધરપકડ કરી હતી. તેની પાસેથી એક પિસ્તોલ, એક મેગેઝિન અને બે ચાઇનીઝ હેન્ડ ગ્રેનેડ (Hand grenade) મળી આવ્યા હતા.ઉપરાંત કાશ્મીર ઘાટી વિસ્તારમાંથી હથિયારોના પરિવહન માટે ઉપયોગમા લેવાયેલા ટ્રકને પણ પોલીસે જપ્ત કર્યો છે.
આપને જણાવવું રહ્યું કે,મુન્તઝીર મંઝૂરની ધરપકડ બાદ જૈશના અન્ય ત્રણ આતંકવાદીઓના (Terrorists )ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન એક આતંકવાદીએ પોલીસને જણાવ્યું હતું કે, “પાકિસ્તાનમાં જૈશ કમાન્ડરે તેમને પંજાબમાંથી હથિયારો એકત્ર કરવા માટે કહ્યું હતુ.”
આ પણ વાંચો: Indian Army: ભારતીય સેના બ્રહ્મપુત્ર નદીની નીચે બનાવશે ટનલ, જાણો ચીનને ઘેરવાના આ Deadly plan વિશે