જો તમે ગોવા જવાનું વિચારતા હો તો કરી લેજો આ કામ, એરપોર્ટ પર બતાવવો પડશે રિપોર્ટ

ઉનાળાના સમયમાં લોકો ગોવા જવાનું ખાસ પસંદ કરતા હોય છે. આવામાં ગોવા સરકાર વિચારણા કરી રહી છે કે યાત્રીઓનો કોરોના નેગેટીવ રીપોર્ટ ફરજીયાત કરવામાં આવે.

જો તમે ગોવા જવાનું વિચારતા હો તો કરી લેજો આ કામ, એરપોર્ટ પર બતાવવો પડશે રિપોર્ટ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 23, 2021 | 12:41 PM

જો તમે ગોવા જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગોવાની સરકાર નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે કે, અન્ય રાજ્યોમાંથી આવતા લોકોએ સાથે નેગેટિવ રિપોર્ટ લાવવો પડશે. જી હા દેશમાં વધી રહેલા કોરોનાને કેસની સંખ્યાને જોતા મહામારીના સંક્રમણની વચ્ચે ગોવામાં જવું હશે તો કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે લઇ જવો પડશે. તો જ તમને ગોવામાં એન્ટ્રી મળશે. આના પર સરકાર હજુ વિચારણા કરી રહી છે.

ગોવાના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ કહ્યું છે કે હાલમાં આ મામલો મુખ્યમંત્રી પ્રમોદ સાવંદ પાસે છે. આ મામલો મુખ્યમંત્રીની વિચારણા હેઠળ છે. તેઓની પરવાનગી મળતાની સાથે જ તેનો અમલ કરવામાં આવશે. અને ગોવામાં બહારથી આવતા લોકોએ ફરજીયાત કોરોના નેગેટિવ હોવાનો રિપોર્ટ લાવવો પડશે.

આ રાજ્યમાં પણ નિયમ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રાજસ્થાનમાં અન્ય રાજ્યોથી આવતા લોકોએ પણ કોરોનાનો નેગેટિવ હોવાનો રિપોર્ટ લાવવો પડશે. રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે રવિવારે આ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે અન્ય રાજ્યોથી આવતા લોકો માટે કોરોના ટેસ્ટ રિપોર્ટ લાવવો ફરજીયાત કર્યો છે. આ ઉપરાંત આઠ શહેરોમાં નાઇટ કર્ફ્યુ પણ જાહેર કરાયો છે. પ્રાથમિક શાળાઓ પણ આવતા સમયમાં બંધ રહેશે.

રાજસ્થાન સરકારે આદેશ જારી કરતાં કહ્યું હતું કે, 22 માર્ચથી રાત્રે 10 વાગ્યા પછી શહેરના તમામ મ્યુનિસિપલ વિસ્તારોમાં બજારો બંધ રહેશે. અજમેર, ભીલવાડા, જયપુર, જોધપુર, કોટા, ઉદેપુર, સાગવારા અને કુશલગઢમાં સવારે 11 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવવામાં આવશે. આ ઉપરાંત 25 માર્ચથી રાજ્યમાં પ્રવેશતા લોકોએ કોરોનાનો નેગેટિવ હોવાનો આરટી-પીસીઆર રિપોર્ટ લાવવો જરૂરી બનશે. આ અહેવાલ 72 કલાકથી વધુ જુનો ન હોવો જોઈએ. ”

જાહેર છે કે ગોવા જવાના પ્લાનને લઈને સોશિયલ મીડિયામાં લોકો મજાક કરતા રહેતા હોય છે. જેમાં મુખ્યત્વે મિત્રોના કારણે ગોવાનો પ્લાન કેન્સલ થયો હોય એવી મજાક વધુ થતી હોય છે. પરંતુ જો હવે ગોવા સરકાર કોરોના નેગેટીવ રીપોર્ટનો નિયમ લાવે છે તો ગોવા પ્લાન કેન્સલ થવામાં વધુ એક કારણ ઉમેરાઈ જશે. ખાસ કરીને ઉનાળાના સમયમાં લોકો ગોવા જવાનું વધુ પસંદ કરતા હોય છે. આવામાં કોરોનાના રીપોર્ટનો નિયમ યાત્રીઓની સંખ્યામાં અસર કરી શકે એમ છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">