હૈદરાબાદ દુષ્કર્મ કેસઃ આરોપીઓના મૃતદેહનું ફરી પોસ્ટમોર્ટમ કરવા આદેશ

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં ચાર આરોપીનું એન્કાઉન્ટર કરાયું હતું. જે બાદ તેલંગાણા હાઈકોર્ટે એક સુનાવાણીમાં મૃતક આરોપીઓનું ફરી એક વખત પોસ્ટમોર્ટમ કરવાનો આદેશ આપ્યો છે. ચારેય આરોપીના મૃતદેહને ગાંધી હોસ્પિટલમાં સંરક્ષિત કર્યા છે. હૈદરાબાદ રેપ કેસમાં ચારેય આરોપીઓનું કથિત રીતે અથડામણમાં મરાયા હતા. હાઈકોર્ટના આદેશથી જ મૃતકોના મૃતદેહને સંરક્ષિત રીતે હોસ્પિટલમાં […]

હૈદરાબાદ દુષ્કર્મ કેસઃ આરોપીઓના મૃતદેહનું ફરી પોસ્ટમોર્ટમ કરવા આદેશ
| Updated on: Dec 21, 2019 | 10:35 AM

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં ચાર આરોપીનું એન્કાઉન્ટર કરાયું હતું. જે બાદ તેલંગાણા હાઈકોર્ટે એક સુનાવાણીમાં મૃતક આરોપીઓનું ફરી એક વખત પોસ્ટમોર્ટમ કરવાનો આદેશ આપ્યો છે. ચારેય આરોપીના મૃતદેહને ગાંધી હોસ્પિટલમાં સંરક્ષિત કર્યા છે. હૈદરાબાદ રેપ કેસમાં ચારેય આરોપીઓનું કથિત રીતે અથડામણમાં મરાયા હતા. હાઈકોર્ટના આદેશથી જ મૃતકોના મૃતદેહને સંરક્ષિત રીતે હોસ્પિટલમાં રખાયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ જામનગર: 7 વર્ષથી ફરજ બજાવતા આચાર્યની બદલીના વિરોધમાં સ્થાનિકો, શાળાને કરી તાળાબંધી

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે કરી તપાસ

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે સાત સદસ્યની એક ટીમે તપાસ કરી હતી. ડૉક્ટર સાથે સામૂહિક દુષ્કર્મ અને હત્યા કરનારા આરોપીઓનું એન્કાઉન્ટર થયું તે જગ્યાએ તપાસ કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 10:33 am, Sat, 21 December 19