દિલ્હીમાં હિંસા કરવા માટે ઉત્તરપ્રદેશથી 300 લોકો આવ્યા હતા: ગૃહપ્રધાન અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં દિલ્હી હિંસાથી જોડાયેલા ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા છે. અમિત શાહે કહ્યું કે સૌથી પહેલા આ હિંસા દરમિયાન જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરૂ છું અને તેમના પરિવાર પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરૂ છું. HM Amit Shah in Lok Sabha on Delhi violence: I would like to place […]
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં દિલ્હી હિંસાથી જોડાયેલા ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા છે. અમિત શાહે કહ્યું કે સૌથી પહેલા આ હિંસા દરમિયાન જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરૂ છું અને તેમના પરિવાર પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરૂ છું.
HM Amit Shah in Lok Sabha on Delhi violence: I would like to place on record that after 25th February no incident of rioting took place. There have been attempts to politicise these riots.#TV9News
— tv9gujarati (@tv9gujarati) March 11, 2020
ગૃહપ્રધાને કહ્યું કે છેલ્લા કેટલાક દિવસમાં જે પ્રકારે દેશ અને દુનિયામાં આ હિંસાને પ્રસ્તુત કરવામાં આવી રહી છે અને આજે પણ ગૃહમાં જે પ્રકારે રાખવાનો પ્રયત્ન થયો છે. હું મોટા સંયમની સાથે તેને સ્પષ્ટ કરવા ઈચ્છુ છુ પણ જ્યારે હિંસાની વાત હોય અને પોલીસ મેદાનમાં ઝઝુમી રહી હોય અને તેને તપાસ કરી આગળ પણ તેના તથ્યોને કોર્ટની સામે રાખવાના છે તો તે સમયે આપણે વાસ્તવિકતાને સમજવી જોઈએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે 27 તારીખથી અત્યાર સુધી 700થી વધારે FIR દાખલ કરવામાં આવી છે. દિલ્હીમાં હિંસા ફેલાવવા માટે 300થી વધારે લોકો ઉત્તરપ્રદેશથી આવ્યા હતા. આ એક મોટું કાવતરૂં હતું. શાહે કહ્યું કે દિલ્હી પોલીસના માથે સૌથી મોટી જવાબદારી હિંસા રોકવાની હતી. 24 ફેબ્રુઆરી 2020એ 2 વાગ્યાની આસપાસ પ્રથમ સુચના પ્રાપ્ત થઈ હતી અને અંતિમ સુચના 25 ફેબ્રુઆરીએ રાત્રે 11 વાગ્યે પ્રાપ્ત થઈ. દિલ્હી પોલીસે 36 કલાકમાં હિંસાને સમાપ્ત કરવાનું કામ કર્યુ છે.
ગૃહપ્રધાને વધુમાં કહ્યું કે હું બીજા દિવસે ત્યાં ગયો, જ્યાં સુધી કોઈ ઘટના થઈ નહતી. હું સાંજે 6.30 વાગ્યે ત્યાં ગયો અને આગળના દિવસે શ્રીમાન ટ્રમ્પના જેટલા પણ કાર્યક્રમ હતા, તે કોઈ પણ કાર્યક્રમમાં હું ગયો નહીં. તમે મારી પર સવાલ ઉઠાવી શકો છો અને તમારો એ અધિકાર છે પણ તથ્યોની સાથે તોડફોડ કરવાનો કોઈને પણ અધિકાર નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]