Hijab Row: બોર્ડની પરીક્ષા છોડનારાઓને ગેરહાજર ગણવામાં આવશે, ફરી પરીક્ષા નહીં થાય: કર્ણાટકના શિક્ષણ મંત્રી
શિક્ષણ મંત્રી નાગેશે એક પ્રશ્નના જવાબમાં કહ્યું, કોર્ટે જે કહ્યું છે, અમે તેનું પાલન કરીશું. અંતિમ પરીક્ષામાં ગેરહાજરી એટલે ગેરહાજરી, પુનઃપરીક્ષા લઈ શકાશે નહીં. તેમણે જણાવ્યું હતું કે પરીક્ષામાં નાપાસ થનારને જ પૂરક પરીક્ષામાં બેસવાની તક મળશે.
કર્ણાટકના (Karnataka) પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રધાન બીસી નાગેશે સોમવારે હિજાબ વિવાદના (Hijab Row) કારણે પરીક્ષા છોડી દેનારાઓ માટે ફરીથી પરીક્ષા લેવાનો ઇનકાર કરતા કહ્યું કે ગેરહાજર રહેનારાઓ માટે આવી કોઈ જોગવાઈ નથી. ત્યાં કોઈ વ્યવસ્થા નથી. તેમણે કહ્યું કે પરીક્ષા સ્પર્ધાત્મક છે અને ગેરહાજર રહેનારાઓ માટે માનવીય વિચારણા ન હોઈ શકે. મંત્રી નાગેશે એક પ્રશ્નના જવાબમાં કહ્યું, કોર્ટે જે કહ્યું છે, અમે તેનું પાલન કરીશું. અંતિમ પરીક્ષામાં ગેરહાજરી એટલે ગેરહાજરી, પુનઃપરીક્ષા લઈ શકાશે નહીં. પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે પરીક્ષામાં નાપાસ થનારને જ પૂરક પરીક્ષામાં બેસવાની તક મળશે.
શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે, ગેરહાજર લોકો માટે ફરીથી પરીક્ષા લેવા માટે આવી કોઈ સિસ્ટમ નથી. ફેબ્રુઆરીમાં, કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશ પછી તમામ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં ભગવા ગમછા, સ્કાર્ફ, હિજાબ અને કોઈપણ ધાર્મિક વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો, ઘણી મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ વર્ગોનો બહિષ્કાર કર્યો હતો અને પ્રેક્ટિકલ પરીક્ષાઓ છોડી દીધી હતી.
કોર્ટે 15 માર્ચે તેના અંતિમ આદેશમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓના એક વર્ગ દ્વારા વર્ગખંડમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટના આદેશને હવે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી રહ્યો છે. ઘણી મુસ્લિમ છોકરીઓએ વર્ગોનો બહિષ્કાર કરવાનું ચાલુ રાખ્યું છે અને એપ્રિલમાં બીજી PUC (વર્ગ 12) બોર્ડની પરીક્ષા છોડવાનો સંકેત આપ્યો છે. કેટલીક વિદ્યાર્થીનીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હિજાબ વગર ક્લાસમાં પાછા નહીં ફરે.
પરીક્ષાઓ એકસમાન રીતે લેવાવી જોઈએઃ શિક્ષણ મંત્રી
મંત્રીએ કહ્યું, પરીક્ષાઓ સ્પર્ધાત્મક છે અને એક સમાન રીતે આયોજિત થવી જોઈએ, પછી ભલે તે રેન્ક અથવા ફર્સ્ટ ક્લાસ કે અન્ય. જો આપણે માનવીય ધોરણે વિચારીએ તો આવતીકાલે લોકો પરીક્ષામાં ન આવવા માટે જુદા જુદા કારણો સાથે આવશે અને ફરીથી પરીક્ષાની માંગણી કરશે, તે થઈ શકે નહીં. ગેરહાજર રહેનારાઓ માટે પુનઃ પરીક્ષા લેવા માટે આવી કોઈ વ્યવસ્થા નથી. હું માની શકતો નથી કે જે PU વિદ્યાર્થીઓ સુપ્રીમ કોર્ટમાં ગયા છે તેઓએ વચગાળાનો અને અંતિમ આદેશ જોયો નહી હોય. તેઓ સ્માર્ટ છે, જેમણે આ વાંચીને તેનાથી દૂર રહેવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચો : Corona Virus: દેશમાં કોરોનાના કેસ દરરોજ ઘટી રહ્યા છે, કેન્દ્ર સરકારે કહ્યું- ઓમિક્રોનનો ખતરો હજુ સમાપ્ત થયો નથી