Hijab Case : કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું- કર્ણાટકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા જોઈએ, તમામ વિદ્યાર્થીઓએ ડ્રેસ કોડનું કરવું જોઈએ પાલન

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ જાહેરાત કરી છે કે રાજ્યની તમામ હાઈસ્કૂલ અને કોલેજો આગામી ત્રણ દિવસ સુધી બંધ રહેશે. સીએમ બોમાઈએ વિદ્યાર્થીઓને શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી છે.

Hijab Case : કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું- કર્ણાટકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા જોઈએ, તમામ વિદ્યાર્થીઓએ ડ્રેસ કોડનું કરવું જોઈએ પાલન
Union Minister Prahalad Joshi File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 7:52 PM

કૉલેજોમાં હિજાબ (Hijab) પહેરવાની તરફેણમાં અને વિરુદ્ધમાં કર્ણાટક (Karnataka) ના ઘણા ભાગોમાં ઉગ્ર દેખાવો વચ્ચે, કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી (Union Minister Prahalad Joshi) એ કહ્યું કે તમામ વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં નિર્ધારિત ડ્રેસ કોડનું પાલન કરવું જરૂરી છે. હિજાબ વિવાદ (Hijab Controversy) પર પ્રહલાદ જોશીએ કહ્યું કે તમામ વિદ્યાર્થીઓએ શાળા કે વહીવટીતંત્ર દ્વારા નક્કી કરાયેલ ડ્રેસ કોડનું પાલન કરવું પડશે. કારણ કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે જરૂરી છે. તેમણે કહ્યું, ‘આપણે તે જોવાની જરૂર છે કે આખરે વિદ્યાર્થીઓને ઉશ્કેરનારા લોકો કોણ છે?’

હિજાબના વિવાદ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ (CM Basavaraj Bommai) એ આગામી ત્રણ દિવસ માટે તમામ હાઈસ્કૂલ અને કોલેજો બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. સીએમ બોમાઈએ કહ્યું, ‘અમે કર્ણાટક હાઈકોર્ટના નિર્દેશની રાહ જોઈ રહ્યા છીએ. હું વિદ્યાર્થીઓને શાંતિ અને સૌહાર્દ જાળવવાની અપીલ કરું છું.” તેમણે કહ્યું, ‘મેં શાળા પ્રશાસનને સૂચના આપી છે કે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ અથડામણ ન થાય. બહારથી આવેલા તમામ સંબંધિત વ્યક્તિઓને ઉશ્કેરણીજનક નિવેદનો ન કરવા અપીલ કરવામાં આવે છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

હિજાબ વિવાદ પર સરકાર સંસદમાં નિવેદન આપે – કોંગ્રેસ

આ દરમિયાન કોંગ્રેસે (Congress) સરકારને હિજાબ વિવાદ અંગે સંસદમાં નિવેદન આપવાની અપીલ કરી છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ મંગળવારે ગૃહમાં કર્ણાટકની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે સરકારે આ અંગે સંસદમાં નિવેદન આપવું જોઈએ. તેમણે નીચલા ગૃહમાં ઝીરો અવર દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. “અમે ગૃહની અંદર “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ” વિશે વાત કરીએ છીએ. પરંતુ દેશમાં કેટલીક જગ્યાએ ધર્મના આધારે ઘૃણાસ્પદ કાર્યવાહી કરવામાં આવી રહી છે જે યોગ્ય નથી.

કર્ણાટક હાઈકોર્ટમાં આજે સુનાવણી

તેમણે કહ્યું, ‘ઘણા હિંદુઓ તિલક લગાવે છે. ઘણી મુસ્લિમ મહિલાઓ હિજાબ પહેરે છે. કર્ણાટક અને અન્ય કેટલાક સ્થળોએ હિજાબ પહેરતી મુસ્લિમ મહિલાઓને રોકવામાં આવી રહી છે. વિવિધ ધર્મો વચ્ચે તિરાડ સર્જાઈ રહી છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે સરકારે આ મામલે ગૃહમાં નિવેદન આપવું જોઈએ. મહત્વપૂર્ણ છે કે, આ મામલે દાખલ કરવામાં આવેલી અરજી પર આજે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું, ‘અમારા માટે બંધારણ ભગવદ ગીતા જેવું છે. આપણે બંધારણ પ્રમાણે કામ કરવાનું છે. અમે બંધારણના શપથ લીધા પછી એ સ્થિતિમાં આવ્યા છીએ કે લાગણીઓથી પર થઈને આ મુદ્દા પર વિચાર કરવો જોઈએ.

આ પણ વાંચો: Statue Of Equality: ગૃહમંત્રી અમિત શાહે રામાનુજાચાર્ય સહસ્ત્રાબ્દી મહોત્સવમાં કહ્યું- આત્માને શાંતિ આપે છે ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’

આ પણ વાંચો: ગુજરાતના દિવસોને યાદ કરતાં PM Modiએ કહ્યું- કેન્દ્રની કોંગ્રેસ સરકારે જે અત્યાચાર કર્યા, તે ભૂલી શકાય તેમ નથી

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">